ઇ-કોમર્સ કંપની મિશોએ પોતાના કર્મચારીઓ માટે 11 દિવસની રજાનું એલાન કર્યું છે, જાણો વિગતવાર
મિશોએ પોતાના કર્મચારીઓ માટે કર્યું 11 દિવસની રજાઓનું એલાન
22 ઓકટોબરથી 1 નવેમ્બર સુધીની રજા
માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો આ નિર્ણય
મિશોએ પોતાના કર્મચારીઓ માટે કર્યું 11 દિવસની રજાઓનું એલાન
કેટલી ખુશી મળે છે જ્યારે કોઈ કર્મચારીને કહે - જા જીલે આપણી ઝીંદગી. આવું જ એલાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ મિશોએ પોતાના કર્મચારીઓ માટે કર્યું છે. મિશોનું માનવું છે કે જો કર્મચારીઓ ખુશ રહેશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કર્મચારી ખુશ રહેશે, તો તેઓ વધારે મહેનતથી કામ કરશે. એટલા માટે કંપનીએ 11 દિવસની રજાઓનું એલાન કર્યું છે.
We’ve announced an 11-day company-wide break for a second consecutive year!
Keeping the upcoming festive season & the significance of #WorkLifeBalance in mind, Meeshoites will take some much-needed time off to Reset & Recharge from 22 Oct-1 Nov.
માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે, સતત બીજા વર્ષે 11 દિવસો સુધી રીસેટ અને રિચાર્જનું એલાન કરવામાં આવ્યું છે. મિશોએ પોતાની વેબસાઇટ પર આ વિશે જાણકારી આપી છે. કંપનીનું કહેવુ છે કે આ રજાઓ પાછળ કંપનીનો હેતુ કર્મચારીઓ માનસિક થાકથી દૂર રહે એ જ છે. કંપની અનુસાર, ફેસ્ટિવ સિઝન બાદ કંપની કામચારીઓને આ રજાઓ આપશે. આ રજાઓ ફેસ્ટિવ સિઝન બાદ 22 ઓકટોબરથી 1 નવેમ્બર સુધીની રહેશે.
Even astronauts need breaks. So do folks working on moonshot missions at @Meesho_Official.
For the 2nd year in a row, Meeshoites will unplug for 11 days (Oct 22-Nov 1) to Reset & Recharge after the festive season.
Work is important, well-being is priceless.#Mentalhealth
રીસેટ અને રિચાર્જ માટે બ્રેક
કંપનીના સંસ્થાપક અને સિટીઓ સંજીવ બરનવાલે ટ્વિટર પર આ ઘોષણા કરતાં કહ્યું કે અમારો પ્રાથમિક હેતુ પોતાના કર્મચારીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો છે. અમે સતત બીજા વર્ષે કર્મચારીઓ માટે 11 દિવસોની રજાનું એલાન કર્યું છે. આવનાર તહેવારો બાદ મિશોના કર્મચારીઓ આ રજાઓનો ઉપયોગ કરી શકશે, પોતાનો માનસિક થાક ઉતારવા માટે. કર્મચારીઓ આ રજાઓનો ઉપયોગ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે, ફરવા માટે પણ કરી શકે છે.
મિશોના સંસ્થાપક અને સીઈઓ વિદિત અત્રેએ પણ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું કે અંતરીક્ષ યાત્રીઓને પણ બ્રેકની જરૂર પડે છે અને કંપનીમાં મૂન શૉટ મિશન પર કામ કરનાર લોકોને પણ. આ પહેલા મિશો અનંત કલ્યાણ અવકાશ, 30 વીકની પેરેન્ટલ લિવનું પણ એલાન કરી ચુકી છે.