ચોમાસૂ સત્ર શરૂ થાય તે પહેલા ઓલ પાર્ટી મીટિંગ કરવામાં આવી જેમા વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિપક્ષ દ્વારા પેટ્રોલના ભાવ અને કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવામાં આવ્યો.
ચોમાસુ સત્ર પહેલા સર્વદળીય બેઠક
વડાપ્રધાન મોદી પણ બેઠકમાં હાજર
પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠ્યો
સંસદમા ચોમાસુ સત્ર શરૂ થવાનું છે. જેથી સરકાર દ્વારા આજે સર્વદળીય બેઠક બોલાવામાં આવી જેમા વડાપ્રધાન મોદી પણ શામેલ થયા હતા. આ બેઠકમાં રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી, અર્જુન રામ મેઘવાલ અને રાજ્યસભામાં સદનના નેતા પીયુષ ગોયલ પણ શામેલ હતા. જેમા કૃષિ કાયદાનો મુદ્દો ઉઠ્યો હતો.
બધીજ પાર્ટીના નેતાઓ હાજર
કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુ ખડગે , તૃણમૂલ કોંગ્રેસ તરફથી ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બંધોપાધ્યાય, ડીએમકેથી તિરુચિ શિવાર અને ટીઆર બાલૂ, વાયએસઆર કોગ્રેસથી મિથુન રેડ્ડી અને વિજય સાઈ રેડ્ડી બસપાથી રિતેશ પાંડે અને સતીશ મિશ્રા શામેલ થયા હતા. તેમજ શિવસેના તરફથી સંજય રાઉત પણ હાજર રહ્યા હતા.
The meeting between Lok Sabha Speaker Om Birla and the leader of parties concludes in the presence of PM Modi, who had arrived some time back. pic.twitter.com/vgRWJX4MSj
આ બેઠકમાં વિપક્ષ દ્વારા કૃષિ બિલ તેમજ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવામાં આવ્યો હતો. સાથેજ એવી માગ પણ કરવામાં આવી કે સરકાર એનઈઈટીમાં ઓબીસી માટે આરક્ષણ લાવે. સરકારે સદનમાં હાજર નેતાઓને જાણ કરી કે તેમણે પાંચ અધ્યાદેશો સહિત ઘણા બીલ પાસ કર્યા છે. જેની કુલ સંખ્યા 29 થાય છે.
વિપક્ષના સરકાર પર પ્રહાર
જોકે વિપક્ષ દ્વારા વળતો સવાલ એવો કરવામાં આવ્યો હતો, કે જો બીલ પાસ કરવામાં આટલો સમય લાગશે તો પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા કેટલા સમયમાં કરવામાં આવશે. જેમા સામાન્ય માણસ હેરાન થઈ રહ્યો છે.
કૃષિ કાયદો રદ કરવાની માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વડાપ્રધાને વિપક્ષને એવું કહ્યું કે દરેક મામલે ચર્ચા કરવામાં આવશે. સરકાર બધાજ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. જોકે પંજાબની પાર્ટીઓ દ્વારા કૃષિ કાયદાઓને રદ કરવાની માગ કરવામાં આવી હતી. જે માગને બધાજ વિપક્ષી દળો દ્વારા સમર્થન આપવામાં આવ્યું.