એક સ્ટડી મુજબ ઈરેક્ટાઇલ ડિસફંક્શન માટે લેવામાં આવતી દવાઓથી આંખે અંધાપો પણ આવી શકે છે. જાણો વિગતવાર
વિયાગ્ર જેવી દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક
આંખોની દ્રષ્ટિ પણ જઈ શકે છે
આ દવાઓમાં હોય છે હાનિકારક કેમિકલ
વિયાગ્ર જેવી દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક
ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે નપુંસકતા એક એવી સમસ્યા છે જેના માટે લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ લઈને કે પૂછ્યા વગર વાયગ્રા જેવી દવાઓ લેતા હોય છે. પરંતુ આ દવાઓ તમારી આંખોની દ્રષ્ટિ ઘટાડી અથવા દૂર કરી શકે છે. એક નવી સ્ટડીમાં આ વાત સામે આવી છે. કારણ કે આ દવાઓમાં એવું કેમિકલ હોય છે, જે આંખો માટે યોગ્ય નથી.
આ સ્ટડી હાલમાં JAMA Opthalomologyમાં પ્રકાશિત થયો છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આવી દવાઓમાં ફોસ્ફોડીસ્ટેરેઝ ટાઇપ 5 ઇન્હિબિટર્સ (PDE5Is) હોય છે, જે આંખો પર ખરાબ અસર કરે છે. જો કેસ ગંભીર હોય, તો આંખોની દ્રષ્ટિ પણ ગુમાવી શકાય છે.
ઇરેક્ટાઈલ ડિસફંક્શન દૂર કરનાર દવાઓ જેવી કે વિયાગ્રા, સિયાલીસ, લેવીટ્રા અને સ્ટેન્ડ્રાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવે છે. પરંતુ આ દવાઓની સાથે સમસ્યા એ છે કે તેના ઉપયોગ બાદ તમને જોવામાં તકલીફ પડી શકે છે.
સ્ટડી મુજબ, જુદી જુદી દવાઓની આંખો પર અલગ-અલગ અસર થાય છે. પરંતુ હાલમાં, એવું નોંધવામાં આવ્યું નથી કે તે ગંભીર રેટિના ડિટેચમેન્ટ અને રેટિનલ વેસ્ક્યુલર ઓક્લુઝન (RVO) જેવા રોગોનું કારણ બને છે. પછી સંશોધકોએ વિચાર્યું કે તેનો વિગતવાર અભ્યાસ કરવાનો નિર્ણય લીધો.
સંશોધકોએ અમેરિકામાં હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમનાં રેકોર્ડની તપાસ કરી. જેમાં 2.13 લાખ લોકો એવા જોવા મળ્યા જેઓ ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે સતત દવા લઈ રહ્યા છે. જ્યારે તેમની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે કોઈને આંખો સંબંધિત એક કે વધારે સમસ્યાઓ છે. જેમાં ગંભીર રેટિના ડિટેચમેન્ટ એટલે રેટિના પાછળ પાણી ભરવું, રેટિના વેસ્ક્યુલર ઓક્લુઝન એટલે કે રેટિનામાં લોહી ગંઠાઈ જવું અથવા ઇસ્કેમિક ઓપ્ટિક ન્યુરોપથી (ION) એટલે કે રેટિનામાં લોહીનાં પ્રવાહનું અટકી જવુ સામેલ છે.
આ ઉપરાંત હાઈપર ટેન્શન, ડાયાબીટીસ અને કોરોનરી આર્ટરી ડીજીસેન્સની સંભાવના પણ આંખની સમસ્યાઓને વધારે છે. જો કોઈ વ્યક્તિ આ બીમારીઓથી પીડિત છે અને તે વિયાગ્રા જેવી દવાઓ લે છે, તો તેની આંખમાં સમસ્યા પેદા થઇ શકે છે કેમકે PDE5Isને કારણે SRD, RVO અને ION થવાની શક્યતા વધુ છે.
દવાઓમાં હોય છે હાનિકારક કેમિકલ
વિયાગ્રા જેવી દવાઓ ન લેનારની તુલનામાં લેનાર લોકોમાં SRD હોવાની આશંકા 1.5 ટકા વધી જાય છે. RVOની આશંકા 2.5 ટકા વધી જાય છે. જ્યારે, ION થવાના ચાન્સ બમણો થઇ જાય છે. આ સ્ટડીમાં સામેલ વૈજ્ઞાનિકો અને આંખોના વિશેષજ્ઞ ડૉ. માહયાર એતમિનાને કહ્યું કે આ બીમારીઓ દુર્લભ છે, તેનાંથી બચી શકાય છે. જો કોઈ વ્યક્તિ વિયાગ્રા જેવી દવાઓનું સેવન સીમિત માત્રામાં કરે તો.
ડૉ. માહયાર એતમિનાને જણાવ્યું હતું કે અમેરિકામાં 20 મિલિયન લોકોને દરરોજ ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે દવાઓનું પ્રિસ્ક્રિપ્શનઆપવામાં આવે છે. એટલે કે મોટી સંખ્યામાં લોકોની આંખોની દ્રષ્ટિ જોખમમાં છે. જો કોઈ વ્યક્તિ આ પ્રકારની દવા સતત લેતી હોય અને તેની આંખોમાં ફરક દેખાય તો તેણે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. આવી દવાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
SRDનાં શરૂઆતી લક્ષણ એ છે કે તમને આંખોની સામે અચાનકથી ધબ્બાઓ તરતા દેખાશે. RVOમાં અચાનક આંખની દ્રષ્ટિ જઈ શકે છે. કાળા ધબ્બા પણ આવી શકે છે. IONમાં એક કે બંને આંખોની દ્રષ્ટિ એક ઝટકામાં જઈ શકે છે.