ભાવનગરમાં મેડીકલના વિદ્યાર્થીઓ જર્જરિત કોલેજથી કંટાળી કરી ભગવાન જગન્નાથને અરજ, રામધૂન બોલાવી સતાધિશોની ઉઘાડી આંખ
ભાવનગરમાં અનોખો વિરોધ
જગતના નાથને કરી અરજી
સત્તાધીશોને `સદબુદ્ધિ' આપો `નાથ'!
ભાવનગરમાં મેડીકલ કોલેજ જર્જરીત છે.. અને તેને અન્યત્ર ફેરવવાની ચર્ચાઓ વચ્ચે વિરોધનો સૂર ઉઠ્યો છે. જે જગ્યા ફાળવાઈ છે તે યોગ્ય ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. અને આ મુદ્દે સત્તાધિશો કંઈ સાંભળતા ન હોવાથી આજે અનોખો વિરોધ કર્યો હતો
ભક્તિધૂન કરીને પહોંચાડી વાત
ભાવનગરમાં આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો.તંત્રની આંખ ઉઘાડવા વિદ્યાર્થીઓએ ઉપલા દરબારમાં અરજી કરી.. અને પ્રાર્થના કરી કે સત્તાધિશોની આંખો ઝડપથી ઉઘડે.આ દ્રશ્ય છે ભાવનગર મેડીકલ કોલેજની બિલ્ડિંગના.અને આ બિલ્ડિંગ છે જર્જરી.. બિલ્ડિંગ જર્જરીત હોવાથી વિદ્યર્થીઓને અન્યત્ર ખસેડવા માટે સરકારે આદેશ કર્યો. અને દ્રશ્યમાં દેખાતી વિદ્યાર્થીઓની આ ભીડ તેનો વિરોધ કરી રહી છે. કોલેજ કમ્પાઉન્ડમાં આજે 500થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા અને ઉપલા દરબાર એટલે કે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરીને એક આવેદન પત્ર આપ્યું.. વિદ્યાર્થીઓએ કહ્યું કે આ સત્તાધિશો અમારું તો નથી સાંભળતા પણ તમારું તો સાંભળશે..
તંત્ર પર વિદ્યાર્થીઓનો આક્ષેપ
મેડીકલનો અભ્યાસ કરતા વિદ્યારથીઓનું માનવું છે કે બે હાથ વાળા મનુષ્યને સત્તાધીશો નથી સાંભળી રહ્યા.. પણ હવે અરજી હજાર હાથવાળા જગન્નાથજીને કરી છે. તો હવે તો સત્તાધિશોએ સાંભળવુ જ પડશે.. વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓની હાલની મેડીકલ કોલેજને રૂવાપરી રોડ નજીકની લેપ્રસી હોસ્પિટલમાં ફેરવવાની હિલચાલ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓની માગ છે ત્યાં ટીશચગ માટેના હોલ કે લેબોરેટરી નથી, કોઈ સુવિધા નથી. એ વિસ્તાર પણ શહેરથી દૂર છે. જેથી સરકાર આ અંગે વિચારીને નિર્ણય લે.. વિદ્યાર્થીઓના મતે શિક્ષણ મંત્રી આ જ ગામના છે તો આ મુદ્દે ઉકેલ લાવે..
અન્ય સ્થળ આપ્યું ત્યાં નથી કોઈ સુવિધા
ભાવનગરનું મેડિકલ કોલેજનું બિલ્ડિંગ જર્જરીત છે. જે બેસવા લાયક નથી.. બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે ધરાશાયી થાય તો પણ નવાઈ નહીં. જેથી બિલ્ડિંગ ખાલી કરીને લેપ્રસી હોસ્પિટલમાં જગ્યા ફાળવાઈ છે. સરકારનો આદેશ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના મતે સરકાર અન્ય કોઈ જગ્યા ફાળવે જે શહેરથી નજીક હોય અને સુવિધાઓથી સજ્જ હોય. જોકે હાલ સત્તાધિશો ન સાંભળતા વિદ્યાર્થીઓએ જગતના નાથ જગન્નાથ ભગવાન સમક્ષ આવેદન આપીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.. ત્યારે વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લેવાય છે કે નહીં તે જોવું રહ્યું.