રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલ કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગોદારનો પાર્થિવ દેહ સોમવારે સવારે બેંગલુરૂ લવાયો છે. જ્યાં રાજ્યના CM બસવરાજ બોમાઈ સહિત અન્ય લોકોએ નવીનને શ્રદ્ધાંજલિ આપી.
રશિયન હુમલામાં મૃત્યુ પામેલ નવીનનો મૃતદેહ પહોંચ્યો બેંગલુરૂ
સીએમ બસવરાજ બોમાઈએ પાઠવી શ્રદ્ધાંજલિ
નવીનનો મૃતદેહ લાવવા માટે તમામ પ્રયાસો કરવાનું PM મોદીએ કહ્યું હતું
તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં રશિયન હુમલામાં નવીનનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને લાવવાના પ્રયાસો કરાયા હતાં. આ સંદર્ભમાં પીએમ મોદીએ તાજેતરમાં મળેલી બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, 'નવીનનો મૃતદેહ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે.' સીએમ બસવરાજ બોમાઈએ એ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
21 વર્ષીય નવીનનું ઘર કર્ણાટકના હાવેરી જિલ્લામાં આવેલું છે. નવીન ખારકિવમાં દવાનો અભ્યાસ કરતો હતો. નવીનના મિત્રએ જણાવ્યું કે, તે સવારે બંકરમાંથી ભોજન અને જરૂરી વસ્તુઓ લેવા આવ્યો હતો. ત્યાર બાદ અચાનક હુમલામાં તેનું મોત થયું. નવીનના મિત્ર શ્રીકાંતે જણાવ્યું કે, તે અને નવીન બંને સાથે ક્લાસમેટ હતાં. તે થોડાં દિવસોથી ખારકિવના એક બંકરમાં રહેતો હતો. શ્રીકાંતના કહેવા મુજબ, નવીન 1 માર્ચે સવારે બંકરમાંથી કેટલીક વસ્તુઓ લેવા ગયો હતો.
Mortal remains of Naveen Shekharappa Gyangoudar, who was killed in a shelling attack in #Ukraine️ on March 1st, arrives Bengaluru
શ્રીકાંતે જણાવ્યું કે, ખારકિવમાં બપોરનાં 3 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ હતો. તે સવારે 6 વાગ્યા બાદ જરૂરી વસ્તુઓ લેવા ગયો હતો. ત્યારે અમે સૂતા રહેતા હતાં. શ્રીકાંતના કહેવા પ્રમાણે, નવીને તેને બહાર જતી વખતે કંઇ જ કહ્યું ન હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજે 7 દિવસ પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં પીએમ મોદીએ નવીનના મૃતદેહને ભારત લાવવા માટે તમામ પ્રયાસ કરવાનો આદેશ આપ્યો હતો.
તેના શરીરનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી શકશે : નવીનના પિતા
21 વર્ષીય નવીન યુક્રેનની ખારકિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો વિદ્યાર્થી હતો. તે ખાવા માટેની લાઇનમાં ઉભો રહેતો ત્યારે તે કથિત રીતે રશિયન સૈન્યના ગોળીબારનો ભોગ બની ગયો. પુત્રનું અંગદાન કરવાનો નિર્ણય લેનાર પિતાએ કહ્યું કે, 'મારો પુત્ર મેડિકલ ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો જે થઈ શક્યું નહીં. ઓછામાં ઓછો તેના શરીરનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી શકશે. એટલાં માટે અમે પરિવારના સભ્યોએ તેમના શરીરને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.'