કેન્દ્ર સરકારે 57 વર્ષ બાદ જૂના એક આદેશને ફરી લાગુ કર્યો છે. જે હેઠળ મેડિકલ ક્વોલિફાઈડ સરકારી કર્મચારીને પોતાના ફ્રી ટાઈમમાં મેડિકલ સર્વિસની પરવાનગી આપવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે ગૃહ મંત્રાલયના 26 ફેબ્રુઆરી 1964ના એક આદેશને ફરી લાગુ કર્યો
મેડિકલમાં માન્યતા પ્રાપ્ત યોગ્યતા વાળા સરકારી કર્મચારી ખાલી સમયમાં કરી સકશે મેડિકલ સર્વિસ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઘણા સરકારી કર્મચારીઓના વિભાગને કહેવામાં આવ્યું હતું કે તેમને મેડિકલ સર્વિસની પરવાનગી આપવામાં આવે
આખો દેશ કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યા છે. આ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરૂના સમયના એક આદેશને 57 વર્ષ બાદ ફરિ લાગુ કર્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે 1964ના એક આદેશને લાગુ કરતા મેડિકલનો અભ્યાસ કરી ચુકેલા સરકારી કર્મચારીઓને પોતાના નવરાશના સમયમાં મેડિકલ સર્વિસ કરવાની પરવાનગી આપી છે.
મેડિકલ ફિલ્ડમાં ન હોવા છતાં ઘણાં કર્મચારીઓ પાસે મેડિકલની ડિગ્રી છે
ડીઓપીટીએ 29 ફેબ્રુઆરી, 1964ના ગૃહ મંત્રાલયના એ આદેશનો હવાલો આપ્યો જે હેઠળ એચઓડીને મેડિકલની કોઈ પણ પ્રણાલીમાં માન્યતા પ્રાપ્ત યોગ્યકા વાળા સરકારી કર્મચારીને મેડિકલ સર્વિસ શરૂ કરવાની અનુમતી આપવા કહેવામાં આવ્યું હતું. જોકે આ વિશે આદેશમાં એચઓડી પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નથી. શરત માત્ર એટલી છે કે મેડિકલ સર્વિસના કારણે કર્મચારીની મુળ સેવા પ્રભાવિત ન થાય. હકીકતે, ઘણા આઈએએસ, આઈપીએસ અને અન્ય ઓફિસરો મેડિકલનો અભ્યાસ પણ કરેલો હોય છે. હવે તે પોતાની એ મેડિકલ યોગ્યતાનો ઉપયોગ સર્વિસ આપવામાં કરી શકે છે.
કોરોના મહામારીના કારણે જાહેર કર્યો આ આદેશ
કેન્દ્રએ દેશમાં કોવિડ-19ના વધતા મામલાનો હવાલો આપતા 12 મેએ ચિકિત્સા ક્ષેત્રમાં માન્યતા પ્રાપ્ત યોગ્યતા ધરાવતા કર્મચારીઓને ચિકિત્સાકીય કાર્ય કરવા અથવા ફોન પર ઉપચાર સંબંધી સલાહ આપવાની અનુમતી આપી દીધી. આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગુ પણ કરવામાં આવી ચુક્યો છે.
ઘણા કર્મચારીઓએ મેડિકલ સર્વિસ આપવાની પરવાનગી માંગી હતી
ગૃહ મંત્રાલયના 57 વર્ષ જૂના આદેશનો હવાલો આપતા ડીઓપીટીએ કહ્યું કે હાલમાં વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઘણા કર્મચારી ફોન પર ઉપચાર સંબંધી સલાહ આપવાનો અનુરોધ કરી રહ્યા છે.