ફાર્મસીમાં એડમીશન લેવા માંગતા વિધાર્થીઓને માટે મોટા સમાચાર સામે આવ્યા છે ફાર્મસી કાઉન્સિલએ માન્યતા વગર ની કોલેજોમાં પ્રવેશ ન લેવા ચેતવણી આપી છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલએ માન્યતા હોય તેવી કોલેજોનું લિસ્ટ જાહેર કર્યું છે
ફાર્મસીમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
ફાર્મસી કાઉન્સિલે આપી વિદ્યાર્થીઓને ચેતવણી
માન્યતા વગરની કોલેજોમાં પ્રવેશ ન લેવા આપી ચેતવણી
ફાર્મસીમાં એડમીશન લેવા માંગતા વિદ્યાર્થીઓને માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફાર્મસી કાઉન્સિલએ માન્યતા વગરની કોલેજોમાં પ્રવેશ ન લેવા ચેતવણી આપી છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલએ માન્યતા હોય તેવી કોલેજોનું લિસ્ટ જાહેર કર્યું છે.
100 સીટની માન્યતા હોવા છતાં 180 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ
જે પોતાની www.pci.nic.in ઉપર જોઈ શકાશે. જેમાં રાજ્યના 74 ડિગ્રી કોલેજ અને 16 ડિપ્લોમા કોલેજનો સમાવેશ કરાયો છે. અને ફાર્મસીની 13 કોલેજનું પણ લિસ્ટ જાહેર કરાયું છે. આ સાથે જ વિદ્યાર્થીઓને માન્યતા વગરની કોલેજમાં પ્રવેશ ન લેવા વિદ્યાર્થીઓને ફાર્મસી કાઉન્સિલએ અપીલ કરી છે. નોંધપાત્ર છે કે સરખેજ પાસે આવેલી એલ. જે. કોલેજ દ્વારા 100 સીટની માન્યતા હોવા છતાં 180 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. જે વિવાદ હજી હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.