સુપ્રીમ કોર્ટના જજ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે, ભારતની કોર્ટમાં કેસનું ખુબ ભારણ છે અને પેન્ડિંગ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને મધ્યસ્થતા જેવા સમાધાન તંત્ર એક મહત્વપૂર્ણ ઉપકરણ છે.
પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારોઃ જસ્ટિસ
પેન્ડિંગ કેસના ઉકેલ માટે મધ્યસ્થતા મહત્વપૂર્ણ : જસ્ટિસ ચંદ્રચૂડ
સુપ્રીમ કોર્ટમાં 71000 કેસ પેન્ડિંગ
જસ્ટિસ ચંદ્રચૂડે શુક્રવારે પૂણેમાં ઇન્ડિયન લૉ સોસાયટીમાં આઈએલએસ સેન્ટર ફોર આર્બિટ્રેશન એન્ડ મેડિએશનના ઉદ્ધાટન કર્યા બાદ ન્યાયમૂર્તિ વાઈવી ચંદ્રચૂડ સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન લૉ સોસાયટીએ પોતાની શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન જસ્ટિસે કહ્યું કે, અમે જાણીએ છીએ કે ભારતમાં કોર્ટ પર કેસોનો ખુબ બોજો છે.
પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો
જસ્ટિસે કહ્યું કે, પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા અધ્યયન અનુસાર, 2012 અને 2020 વચ્ચે તમામ કોર્ટોમાં પેન્ડિંગ કેસની સંખ્યામાં વાર્ષિક 2.8 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, ગત 2 વર્ષોમાં કોરોના મહામારી અને તેના માણસો પર પડેલી અસરને પેન્ડિંગ કેસોનો પહેલાથી જ ચિંતાજનક દરને હજુ વધારી દીધો છે.
સુપ્રીમ કોર્ટમાં 71000 કેસ પેન્ડિંગ
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, હાલના આંકડા અનુસાર, જિલ્લા અને તાલુકા કોર્ટોમાં 4.1 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે અને અલગ અલગ ઉચ્ચ કોર્ટમાં લગભગ 59 લાખ કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, આ સમયે સુપ્રીમ કોર્ટમાં 71 હજાર કેસ પેન્ડિંગ છે. આ સંખ્યાને જોતા મધ્યસ્થતા જેવા સમાધાન તંત્ર એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. તેમણે કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે મધ્યસ્થતાનો ઉપયોગ આખી દુનિયા અને નિશ્ચિત રીતે ભારતમાં પ્રમુખતાથી વધ્યો છે. સંસદમાં હાલમાં મધ્યસ્થતા વિધેયક 2021 રજૂ કરવામાં આવ્યું છે.