દરેક વ્યક્તિના જીવનમાં કંઇકને કંઇક પરેશાનીઓ રહે છે. એ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ શક્ય એટલો પ્રયત્ન કરે છે. ઘણી વખત એને સફળતા મળે છે તો ઘણી વખત અસફળતા મળે છે. તો આજે એક જ્યોતિષ અનુસાર અમે તમને એ પરેશાનીઓને ખતમ કરવાના કેટલાક ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ.
અટકાયેલા રૂપિયા મેળવવા માટે કરો આ ઉપાય
શુક્લ પક્ષના કોઇ પમ સોમવારે શરૂ કરીને સતત 21 દિવસો સુધી કરો. સવારે જલ્દી ઊઠો સ્નાન અને બીજા કામ પૂર્ણ કરીને એક લોટામાં ચોખ્ખું પાણી લઇને એમાં 5 ગુલાબના ફૂલ નાંખીને સૂર્યને ચઢાવો અને ભગવાન સૂર્યથી સમસ્યા નિરાકરણ માટે પ્રાર્થના કરો. એનાથી તમારા અટકાયેલા રૂપિયા તમને મળી શકે છે.
સફળતા મેળવવા માટે
કોઇ પણ બુધવારે સૂર્ય તરફ મોઢું કરીને નમસ્કાર કરો. ત્યારબાદ કાચો યાર્ન લઇને ऊं गं गणपतये नम: મંત્ર વાંચીને સાત ગાંઠ મારો. હવે એને તાબીજમાં ભરીને પહેરી લો. હવે દર બુધવારે આ તાવીજ નિકાળીને ધૂપ-દીવો દેખાડીને ફરીથી ધારણ કરજો. આ તાબીજ પહેરીને તમે જે પણ કામકરવા જશો એમાં સફળતા જરૂરથી મળશે.
સુખ સમૃદ્ધિ માટે
રોજ સવારે ઊઠીને સ્નાન વગેરે કરીને તુલસીને પાણી ચઢાવો અને ગાયના શુદ્ધ ધી નો દીવો પ્રગટાવો. આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહે છે અને પરિવારમાં શાંતિ બનેલી રહે છે.