એક રિપોર્ટ અનુસાર અરુણાચલમાં ચીને પોતાનું ગામ વસાવી લીધું હોવાની ચર્ચાના કારણે વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે સીમા પર અમારી નજર બની રહેશે અને જવાબમાં ભારતની સીમા ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે.
અરુણાચલમાં ચીને વસાવી લીધું ગામ!
ચીની ગામ વસાવાને લઇ વિદેશ મંત્રાલયનું નિવેદન
''સીમા ઉપર બની રહેશે અમારી નજર''
અરુણાચલમાં ચીની ગામ વસાવાને લઇ વિદેશ મંત્રાલયે નિવેદન આપતાં કહ્યું છે કે સીમા ઉપર અમારી નજર બની રહેશે. અમે ભારત સાથે જોડાતી સીમા ઉપર ચીન દ્વારા નિર્માણની ખબરો જોઈ છે અને સાથે ચીન આ પ્રકારની વિવાદિત નિર્માણ ગતિવિધિ છેલ્લા અનેક વર્ષોથી કરી રહ્યું છે. જવાબમાં ભારતની સીમા ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. અમે રસ્તાઓ પુલ વગેરે બનાવી રહ્યા છીએ, જેનાથી સ્થાનિક લોકોની લાંબા સમયની મુશ્કેલીઓ હળવી થઈ શકે છે. સરકાર સીમાઈ વિસ્તારોમાં નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
ચીનનું આ ગામ ભારત માટે બન્યું મોટો ખતરો
એક રિપોર્ટ મુજબ ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ વસાવી લીધું છે.
રિપોર્ટ પ્રમાણે ચીને આ ગામમાં આશરે 101 ઘર બનાવી લીધા છે. એટલું જ નહીં આ સાથે ખાસ માહિતી એ પણ મળી રહી છે કે આ ગામ ભારતની વાસ્તવિક સીમાના 4.5 કિલોમીટર અંદર છે. આ રિપોર્ટને લઈને વિદેશ મંત્રાલયની તરફથી જવાબ આવ્યો છે. ત્સારી ચૂ નામનું આ ગામ અરુણાચલ પ્રદેશમાં ભારતીય સીમાની અંદર આવેલું છે. આ ગામ અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લામાં સ્થિત છે. તો ચીને ત્સારી ચૂ નદીના કિનારે ગામ વસાવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે.
આવી છે સુરક્ષા વ્યવસ્થા
છેલ્લા 8 મહિનાથી ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને સૈનિકો ઉંચા પહાડો પર તૈનાત છે. આ સાથે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે દિબાંગ ઘાટી, લોહિત સેક્ટર અને સુબંસિરી ઘાટીમાં અનેક ચોકીઓ સહિત મહત્વના સ્થાનોની દેખરેખ થી રહી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં અલગ અળગ સ્થળોએ લગભગ 50.000 સૈનિકો તૈનાત કર્યા છે. તો થલ અને વાયુ સેના પૂર્વી લદ્દાથમાં સૈન્ય ગતિરોધની સાથે ચીનની પાસેના 3500 કિમીની એલએસીની પાસે કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર છે.