યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા જંગથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. આ તમામની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી
ભારતીય વિદ્યાર્થીઓને બોર્ડર એરિયામાં ન જવાની હિદાયત
વિદ્યાર્થીઓની વતન વાપસી અભિયાન ચાલું
યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા જંગથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. આ તમામની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. નવી એડવાઈઝરી મુજબ જોઈએ તો, ત્યાં ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે.
#UkraineRussiaCrisis All Indian citizens are advised not to move to any of the border posts without prior coordination with GoI officials at border posts: Embassy of India in Kyiv, Ukraine in an advisory to Indian nationals pic.twitter.com/K2Yeu2YxwP
MEA તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, બોર્ડર પોસ્ટ પર ભારત સરકારના અધિકારી સાથે સલાહ લીધા વગર ન જવું.
અહીં ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ થઈ ગઈ છે. રોમાનિયાના રસ્તે આ તમામને સ્વદેશ પાછા લાવવામાં આવી રહ્યા છે. આમ તો, ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસીની તૈયારી ગુરૂવારથી શરૂ થઈ ગઈ છે, જ્યારે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે, પોલેન્ડ અને હંગેરીના રસ્તેથી તમામને બહાર કાઢવામાં આવશે.
20 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યુક્રેનમાં હજૂ પણ 20 હજારથી વધારે ભારતીયો ફસાયેલા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના આંકડા છએ, જ્યાં ભણવા માટે ગયેલા છે. આ તમામની વચ્ચે અમુક તસ્વીરો એવી પણ આવી છે, જ્યાં મેડિકલના વિદ્યાર્થીઓ સુરંગમાં છુપાવવા માટે મજબૂર બન્યા છે. તો વળી આના કારણે ભારત સરકાર તરફથી રેસ્ક્યૂ મિશન પણ ઝડપી બનાવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે રશિયા
યુક્રેન પર રશિયાના હુમલાએ પાડોશી દેશોને પણ ડરાવી દીધા છે. પાડોશી દેશ રોમાનિયા, પોલેન્ડ, લાતવિયા, એસ્ટોનિયા બધાં એલર્ટ પર છે. આ દેશોમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે અને સેનાને કોઈ પણ પ્રકારના હુમલા માટે તૈયાર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ બધાં એ દેશો છે, જે નાટોના સભ્ય બની ગયા છે. અને રશિયાની આંખોમાં સતત ખટકતા રહે છે. રશિયા નાટો દેશોની વિરુદ્ધમાં ઉભા થઈને સોવિયેત સંઘના જૂના પ્રભાવ વાળા વિસ્તારોમાં ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે.