MDH ગ્રૂપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજે નિધન થયું છે. તેઓએ માતા ચન્નન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. 98 વર્ષના મહાશય ધર્મપાલ બીમારીના કારણે ઘણા દિવસોથી દાખલ હતા. હાર્ટએટેકના કારણે આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
MDH ગ્રૂપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન
હાર્ટએટેકના કારણે આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા
લાંબા સમયથી ચાલી રહી હતી હોસ્પિટલમાં સારવાર
भारत के प्रतिष्ठित कारोबारियों में से एक महाशय धर्मपालजी के निधन से मुझे दुःख की अनुभूति हुई है।छोटे व्यवसाय से शुरू करने बावजूद उन्होंने अपनी एक पहचान बनाई। वे सामाजिक कार्यों में काफ़ी सक्रिय थे और अंतिम समय तक सक्रिय रहे। मैं उनके परिवार के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ।
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને વ્યક્ત કરી સંવેદના
મહાશય ધર્મપાલના નિધન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતના પ્રતિષ્ઠિત કારોબારીઓમાંના એક હતા. તેમના નિધનથી દુઃખની લાગણી અનુભવાઈ રહી છે. નાના વ્યવસાયથી શરૂઆત કર્યા બાદ પણ તેઓએ પોતાની અલગ ઓળખ બનાવી છે. સામાજિક કાર્યોમાં તેઓ અંતિમ સમય સુધી સક્રિય રહ્યા છે. તેમના પરિવારને પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.
27 માર્ચ 1923માં સિયાલકોટમાં જન્મેલા મહાશય ધર્મપાલ 5મા ધોરણ સુધી જ ભણ્યા હતા અને પછી પિતાની મદદથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.તેઓએ સાબુ, કપડા, હાર્ડવેયર, ચોખાનો વેપાર પણ કર્યો. પરંતુ તેઓ લાંબા સમય સુધી આ કામ ન કરી શક્યા અને પિતાની સાથે વ્યવસાય શરૂ કર્યો. તેઓએ પિચાની મહેશિયાં કી હટ્ટીની દુકાનમાં કામ શરૂ કર્યું. ભારત પાકિસ્તાનના વિભાજન સમયે દિલ્હી આવ્યા ત્યારે તેમની પાસે ફક્ત 1500 રૂપિયા હતા.
Dharm Pal ji was very inspiring personality. He dedicated his life for the society. God bless his soul. https://t.co/gORaAi3nD9
મહાશય ધર્મપાલ ગુલાટીએ 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી કુતુબ રોડની વચ્ચે તેને ચલાવી. થોડા દિવસ બાદ તે ભાઈને આપ્યું અને કરોલબાગના અજમલ ખાં રોડ પર એક નાની દુકાન ખોલીને મસાલા વેચવાનું શરૂ કર્યું. આ કારોબાર ખૂબ ચાલ્યો અને એમડીએચ મસાલાની બ્રાંડની શરૂઆત થઈ.
વ્યાપારની સાથે તેઓએ અનેક એવા કામ પણ કર્યા જે સમાજ માટે મદદરૂપ સાબિત થયા હતા. તેમાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે બનાવવાનુ સામેલ હતું. તેઓએ 20થી વધુ શાળાઓ ખોલી ચૂક્યા હતા.