નવી દિલ્હીઃ સફાઈકર્મીઓનો આક્રોશ સામે આવ્યો છે. દિલ્હીમાં છેલ્લાં 23 દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈકર્મીઓની માગ પૂરી ન થતા તેઓ સીએમ કેજરીવાલના ઘર બહાર ઉમટ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું. પૂર્વ દિલ્હી નગર નિગમના આ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
સફાઈકર્મીઓની માગ છે કે તેમના વેતન અને ભથ્થામાં વધારાની માગ છે. તો આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને સફાઈકર્મીઓ વચ્ચે પણ હિંસા ભડકી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ફોર્સ સહિત બીએસએફ અને રેપીડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલ દિલ્હી પર આફતના વાદળો મંડરાયા છે. બુધવારે હરિદ્વારથી આવેલા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને આજે સફાઈકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બીજી તરફ ગ્વાલિયરમાંથી પણ ભૂમિહીન સત્યાગ્રહીઓ આંદોલનનું બણગુ ફૂંક્યુ છે.