મેલબોર્ન ક્રિકેટ ક્લબે ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો. આ વખતે માંકડિંગના નિયમો પણ બદલાયા અને બેટિંગના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો
MCCએ ક્રિકેટના નિયમમાં કર્યો ફેરફાર
માંકડિંગ નિયમમાં બદલાવ કર્યો
માંકડિંગને રન આઉટ હેઠળ રાખવામાં આવશે
સમય જતા ક્રિકેટના નિયમોમાં પણ બદલાવ આવી રહ્યા છે ત્યારે હવે આ રમતને વધુ રોમાંચક બનાવવા માટે ક્રિકેટના નિયમમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. મેલબર્ન ક્રિકેટ ક્લબે બુધવારે ક્રિકેટમાં એવો નિયમ બનાવ્યો કે જેનાથી મેચ હવે વધારે રસપ્રદ બની રહેશે. આ વખતે માંકડિંગ નિયમમાં બદલાવ થયો છે. આ ક્રિકેટનો એ નિયમ છે જે હંમેશા વિવાદોમાં રહ્યો છે અને તેના પર સતત ચર્ચા પણ થતી આવે છે. જેમાંથી ઘણા નિયમોનું ટ્રાયલ ઇસીબીએ ધ હન્ડ્રેડ સીરિઝમાં કર્યુ હતું.
માંકડિંગનો નિયમ બદલાયો
આ વખતે MCCએ માંકડિંગના કાયદામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. માંકડિંગનો કાયદો હંમેશા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે, પરંતુ તે ક્રિકેટનો એક ભાગ છે જે આમ જ રહેશે. અત્યાર સુધી માંકડિંગને કાયદા 41 અનફેર પ્લે એટલે કે રમતગમતની ભાવના વિરુદ્ધ ગણવામાં આવતો હતો. કોઇ પણ બોલરે માંકડિંગ કરવા પર ટીકા ટિપ્પણીનો સામનો કરવાનો વારો આવતો હતો પરંતુ હવે આમ નહી થાય. માંકડિંગનો કાયદો 41થી બદલીને 38 કરી દીધો છે. એટલે કે માંકડિંગને રન આઉટ હેઠળ રાખવામાં આવશે અને આમ કરવુ એ રમતગમતની ભાવના વિરુદ્ધ નહી માનવામાં આવે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
આ નિયમો પણ બદલાયા
MCCએ બેટ્સમેન માટેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, કોઈપણ ખેલાડી આઉટ થયા પછી, જે નવો બેટ્સમેન આવશે તે સ્ટ્રાઈક લેશે, ભલે પહેલાના બેટ્સમેનોએ આઉટ થતા પહેલા સ્થાન બદલ્યું હોય. MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પહેલા તેને માત્ર કોવિડ 19ના કારણે લાગુ કરવામાં આવતું હતું પરંતુ હવે MCC તેને કાયદો બનાવી રહ્યું છે.
માંકડિંગનો નિયમ શું છે ?
મેલબોર્ન ક્રિકેટ ક્લબ દ્વારા માંકડિંગનો નિયમ બનાવવામાં આવ્યો છે, આ નિયમો અનુસાર જો નોન સ્ટ્રાઇકર બેટ્લમેન બોલ ફેંક્યા પહેલા જ પોતાની ક્રિઝ છો઼ડી દે એટલે કે બોલર સામાન્ય રીતે બોલ ફેંકવાનો હોય છે તે પહેલા જ જો બેટ્સમેન ક્રિઝની બહાર નીકળી જાય તો બોલર તેને રન આઉટ કરી શકે છે. પરંતુ જો બોલર રન આઉટ કરવામાં અસફળ રહ્યો તો એમ્પાયરે ડેડ બોલની ઘોષણા કરવાની હોય છે.
માંકડિંગ સાથે અશ્વિનનો જૂનો સંબંધ
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો માંકડિંગ સાથે લાંબો સંબંધ છે. અશ્વિન હંમેશા માંકડિંગની તરફેણમાં રહ્યો છે. IPL 2019માં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને મેકિંગમાંથી આઉટ કરીને વિવાદ ઉભો કર્યો હતો. તે સમયે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી હતી, પરંતુ હવે MCCએ આ નિયમ બદલીને ક્યાંક ને ક્યાંક બધું સ્પષ્ટ કરી દીધું છે. આ પહેલીવાર નથી જ્યારે અશ્વિને કોઈ બેટ્સમેનને રનઆઉટ કરવા માંકડિંગનો આશરો લીધો હોય. આ પહેલા 2012માં ઓસ્ટ્રેલિયામાં અશ્વિને આવી જ રીતે શ્રીલંકાના લાહિરુ થિરિમાનેને રનઆઉટ કર્યો હતો. જોકે, કેપ્ટનશીપ કરી રહેલા વીરેન્દ્ર સેહવાગે અપીલ પાછી ખેંચી લીધી હતી.