ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોની ઘટ વિશે લાચારી દર્શાવી હતી.
ડોકટરોની ઘટ, સરકારા લાચાર
છ સરકારી મેડિકલ કોલેજમાં 1109 જગ્યાઓ ખાલી
સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોકટરોની ઘટ
ગુજરાત વિધાનસભામાં આજે ડોક્ટરોની સંખ્યા અને તેમની નિમણૂંક અંગે ખુદ ગુજરાત સરકારે ખુલાસો ક્યો હતો જેમાં ખરેખર જાણવા જેવી વિગતો સામે આવી હતી. સરકાર ઈચ્છે તો પણ ડોક્ટરોની નિમણૂંક બાદ ફરજ બજાવવા ઉત્સાહીત કરી શકતી નથી. કેમ કે જેટલાની નિમણૂંક કરવામાં આવી હતી તેના કરતા સાવ ઓછા MBBS ડોક્ટરો સરકારી નોકરી લીધી હતી.
MBBS બાદ ગુજરાત ડોક્ટરો સરકારી નોકરી પર ફરજ નીભાવવાનું પસંદ નથી કરતા આ અંગે ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.
આરોગ્યમંત્રી નીતિન પટેલ શું કહે છે ?
આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, MBBS બાદ સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવવા ઉદાસીનતા દાખવે છે. છેલ્લા 2 વર્ષ માં MBBS થયેલા 2,269 ડોક્ટરોની નિમણુંક કરાઈ હતી જેમાંથી માત્ર 373 ડોકટર જ ફરજ પર હાજર થયા હતા જ્યારે 1761 ડોકટર ફરજ પર હાજર ન થયા.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, જો નિમણૂંક બાદ હાજર ન થાય તો ડોક્ટર પાસેથી સરકારને સરકાર પાસે માત્ર બોન્ડ વસુલ કરવાની સત્તા છે. જેમાં બોન્ડ રકમ વસૂલ કરાયા હતા. ગયા વર્ષે સરકારે 19 કરોડ બોન્ડની રકમ વસુલ કરી હતી. સરકાર HCના આદેશ મુજબ સરકાર અન્ય કોઈ પગલાં ભરી શકતી નથી. બોન્ડ રકમ વસૂલ કર્યા સિવાય કોઇ કાર્યવાહી કરી શકાતી નથી.