રાજકોટ શહેરમાં સોમવારથી લારી-ગલ્લા તેમજ આડેધડ કરાયેલા દબાણોને દૂર કરવાનો આદેશ રાજકોટના મેયરે આપ્યો છે.
રાજકોટમાં લારી-ગલ્લાના દબાણ દૂર કરવા આદેશ
સોમવારથી મહાનગરપાલિકા દ્વારા મેગા ઓપરેશન
શહેરમાં આડેધડ કરાયેલા દબાણો દૂર કરાશે
સોમવારથી મહાનગરપાલિકા દ્વારા મેગા ઓપરેશન
રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવની અધ્યક્ષતામાં તાજેતરમાં સેન્ટ્રલ ઝોન હેઠળાના વોર્ડ માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર પ્રદિપ ડવ તથા મ્યુ. કમિશ્નર અમીત અરોરા જાહેર માર્ગો તથા મ્યુ. કોર્પોરેશનની જગ્યા તેમજ દુકાન આગળથી લારી, ગલ્લાના દબાણો હટાવવા જગ્યા રોકાણ શાખાના અધિકારીને કડક સુચના આપી હતી.
રાજકોટમાં લારી-ગલ્લાના દબાણ દૂર કરવા આદેશ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા કેટલા સમયથી દબાણોનો રાફાડો ફાટી નીકળ્યો છે. જેને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે પરેશાની ઉઠાવવી પડે છે. જેને લઈને રાજકોટ મહાનગર પાલિકામાં તાજેતરમાં રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સોમવારથી શહેરમાં દબાણો દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
શહેરમાં આડેધડ કરાયેલા દબાણો દૂર કરાશે
જે બાદ રાજકોટ શહેરના મેયર પ્રદિપ ડવ તથા મ્યુ. કમિશ્નર અમીત અરોરાએ રાજકોટ શહેરના આવેલા જુદા-જુદા વોર્ડમાં આવેલા મનપાની માલિકીની જમીન પર કરાયેલા ગેરકાયદે બાંધકામ, દબાણો તેમજ લારી ગલ્લાં વાળાઓને દુર કરવાનો આદેશ કર્યો હતો.