વડોદરમાં PM મોદીના કાર્યક્રમને લઈને એક બેઠક યોજાઈ હતી. જેમાં પીવાના પાણીના મામલે મેયર અને ધારાસભ્ય આમને- સામને આવી ગયા છે.
વડોદરામાં પાણી મામલે મેયર અને ધારાસભ્ય આમને-સામને
PMના કાર્યક્રમને લઇ પાટીલની હાજરીમાં મળી હતી બેઠક
બેઠકમાં પ્રોજેક્ટથી દક્ષિણ ઝોનમાં 35 MLD પાણી આપવાની મેયરે કરી જાહેરાત
મેયરની જાહેરાતને લઇ ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા
વડોદરામાં PM નરેન્દ્ર મોદીની સભા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા વડોદરા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં સિંધરોટ પાણીનો મુદ્દો ઉછાળ્યો હતો. ખાનગી હોટલમાં મળેલી બેઠકમાં મેયરે સિંધરોટનું 30 એમ.એલ.ડી પાણી દક્ષિણ ઝોનને મળશે તેમ કહેતા જ ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા હતા. તેમણે પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ વિસ્તારના લોકો સાથે જન આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી.
વડોદરામાં પાણી મામલે મેયર અને ધારાસભ્ય આમને-સામને
વડોદરામાં પીવાના પાણી મામલે મેયર અને ધારાસભ્ય આમને-સામને આવી ગયા હતાં. મહત્વનું છે કે, PMના કાર્યક્રમને લઇ પાટીલની હાજરીમાં એક બેઠક મળી હતી. જેમાં સિંધરોટ પાણી પ્રોજેક્ટનું PM દ્વારા લોકાર્પણ કરાશે. લોકાર્પણ બાદ પ્રોજેક્ટથી દક્ષિણ ઝોનમાં 35 MLD પાણી આપવાની મેયરે જાહેરાત કરી. મેયર દ્વારા કરાયેલી જાહેરાતને લઇ ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા હતા. યોગેશ પટેલ દ્વારા દક્ષિણ ઝોનમાં 50 MLD પાણી આપવા માંગ કરવામાં આવી હતી.
50 MLD પાણી ન અપાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 50 MLD પાણી ન અપાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ ઝોનમાં વર્ષોથી પીવાના પાણી ની સમસ્યાની ફરિયાદ આવી રહી છે. મહત્વનું છે કે, ગઇકાલેPM મોદીના કાર્યક્રમને લઇ સમીક્ષા બેઠક મળી હતી.પાણીની માંગમાં આમને-સામને થયા બાદ યોગેશ પટેલેનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે માંજલપુર માટે 50 MLD પાણી ની માંગ કરી છે. હાલ માંજલપુરને 28 MLD પાણી મળે છે. ઘણા વર્ષોથી માંજલપુરને નવા જોડાણો આપ્યા નથી. અને સૌથી ઓછું પાણી માંજલપુરને મળે છે.સિંધરોટનો પ્લાન્ટ 150 MLDનો છે તેમાંથી માંજલપુરને 50 MLD પાણી આપે. આ અંગે મે તત્કાલિન મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. મહત્વનું છે કે,ત્યારે 130 કરોડ મંજૂર કરાવીને આ પ્લાન્ટ બનાવ્યો છે.
પાણીની માંગ મુદ્દે મેયર કેયુર રોકડિયાનું નિવેદન
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા પાણીની માંગનો મામલે મેયર કેયુર રોકડિયાનું નિવેદન આવ્યું છે. મેયરે પાણીની માંગ મુદ્દે જણાવ્યું હતું કે, સિંધરોટ પ્રોજેક્ટમાંથી દક્ષિણ ઝોનને પાણી અપાશે.15 MLD પાણી પૂર્વ ઝોનમાથી આવતું હતું તે પૂર્વ ઝોનને પાછું ફાળવી દેવાશે. આગામી સમયમાં 150 MLD પાણી સિંધરોટ પ્રોજેક્ટમાંથી મેળવી શકીશું.સી.આર.પાટીલ સામે કોઇ બોલાચાલી નથી થઇ.યોગેશ પટેલે 50 MLD પાણી દક્ષિણ ઝોનને આપવા માંગ કરી હતી.