રાજ્યમાં વાહન ચાલકોના હેલ્મેટ પહેરવાને લઈને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ પ્રતિક્રિયા આપી છે કે, લોકોએ જાગૃત થઈને હેલ્મેટ પહેરવુ જોઈએ. માર્ગ અકસ્માતમાં બચવા માટે આકરા પગલા લેવા જોઈએ. હેલ્મેટ મરજિયાત કે ફરજિયાત તે અંગે ફળદુ ખુદ મુંઝવણમાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યુ કે, બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં હેલ્મેટને લઈને ચર્ચા કરાશે.
હેલ્મેટ માટે રાજ્યવાસીઓ માનસિક્તા બનાવે
લોકો જાગૃત થઇ હેલ્મેટ પહેરવુ જોઇએ-ફળદુ
હેલ્મેટ મરજિયાત કે ફરજિયાત આર સી ફળદુ ખુજ મુજવણમાં મુકાયા
ગુજરાતના પરિવહનમંત્રીની હેલમેટ મુદ્દે આજે અવઢવમાં જણાતા હતા. રાજ્યમાં હેલમેટ ફરજિયાત છે કે મરજિયાત તો એનો ખુદ પરિવહનમંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પહેલા હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતુ ત્યારબાદ તેને મરજિયાત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી કે, સરકારે કોઈ કારણ વગર હેલમેટ મરજિયાત કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે ગુજરાત સરકારને ટપારી હતી. એટલે સરકારે એવુ બહાનું આગળ ધર્યુ હતુ કે હાલ પુરતુ સ્થગિત કરવામાં આવ્યો છે.
શું કહ્યુ પરિવહન મંત્રીએ?
હેલ્મેટ માટે રાજ્યવાસીઓ માનસિક્તા બનાવે
લોકો જાગૃત થઇ હેલ્મેટ પહેરવુ જોઇએ-ફળદુ
હેલ્મેટ મરજિયાત કે ફરજિયાત આર સી ફળદુ ખુજ મુજવણમાં મુકાયા
માર્ગ અકસમાતમાં બચવા માટે આકરા પગલા લેવા જોઇએ-ફળદુ