બહુજન સમાજ પાર્ટી (BSP)ની અધ્યક્ષ માયાવતીએ જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા પર કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. એમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયનો યોગ્ય લાભ ત્યાંના લોકોને આગળ મળશે.
માયાવતીએ મંગળવારે ટ્વિટ કર્યું, ''સંવિધાનની સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયની મંશાને દેશભરમાં લાગૂ કરવાના હેતુથી જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 અને 35એ હટાવવાની માંગ ઘણા લાંબા સમયથી હતી. હવે બસપા આશા રાખે છે કે આ સંબંધમાં કેન્દ્ર સરકારના નિર્ણયનો યોગ્ય લાભ ત્યાંના લોકોને આગળ મળશે.''
संविधान की ’सामाजिक, आर्थिक व राजनैतिक न्याय’ की मंशा को देश भर में लागू करने हेतु जम्मू-कश्मीर को विशेष दर्जा सम्बंधी धारा 370 व 35ए को हटाने की माँग काफी लम्बे समय से थी। अब बीएसपी उम्मीद करती है कि इस सम्बंध में केन्द्र सरकार के फैसले का सही लाभ वहाँ के लोगों को आगे मिलेगा।
એમણે આગળ લખ્યું, ''આ પ્રકારે, જમ્મૂ કાશ્મીરના લેહ-લદ્દાખને અલગથી કેન્દ્ર શાસિત ક્ષેત્ર જાહેર કરવાથી ખાસ કરીને બૌદ્ધ સમુદાયના લોકોની જુની માંગ હવે પૂર્ણ થઇ છે. બસપા તેનું સ્વાગત કરે છે. તેથી આખા દેશમાં, ખાસ કરીને બાબા સાહેબ ડૉ. ભીમરાવ આમ્બેડકરના બૌદ્ધ અનુયાઇ ઘણા ખુશ છે.''
इसी प्रकार, जम्मू-कश्मीर के लेह-लद्दाख को अलग से केन्द्र शासित क्षेत्र घोषित किए जाने से ख़ासकर वहाँ के बौद्ध समुदाय के लोगों की बहुत पुरानी माँग अब पूरी हुई है, जिसका भी बीएसपी स्वागत करती है। इससे पूरे देश में विशेषकर बाबा साहेब डा. भीमराव अम्बेडकर के बौद्ध अनुयाई काफी खुश हैं।
જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા માટે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કરાયા બાદ વિપક્ષની પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે. જ્યારે આ પ્રસ્તાવ પર બસપાએ કેન્દ્ર સરકારનું સમર્થન કરી સૌને ચોંકાવ્યા છે. વિપક્ષમાં આર્ટિકલ 370ને હટાવનાર પ્રસ્તાવ પર બે ભાગલા પડી ગયા છે.