દેશમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામી ચુક્યો છે. યૂપી સીએમ યોગી આદિત્યનાથે સપા-બસપા પર કટાક્ષ કર્યો હતો, જેને લઇ હવે બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ ટ્વીટ કરીને સત્તાધારી પક્ષ પર કટાક્ષ કર્યો છે.
યૂપીમાં સીએમ યોગીએ કોંગ્રેસ, સપા અને બસપા પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતુ કે, કોંગ્રેસ-સપા-બસપાને જો અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. ત્યારે આ વિવાદિત નિવેદન બાદ રાજકીય વાતારણ ગરમાયુ હતુ. આ મામલાને લઈને હવે બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ ટ્વીટ કરીને સત્તાધારી પક્ષ પર કટાક્ષ કર્યો છે.
માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, રામનવમીની દેશ અને પ્રદેશના લોકોને શુભકામનાઓ તથા તેમના જીવનમાં સુખ-શાંતિની કુદરતને પ્રાર્થના કરૂ છું. આવા સમયમાં જ્યારે લોકો શ્રીરામના આદર્શોનું સ્મરણ કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી સ્વાર્થ માટે બજરંગબલી અને અલીનો વિવાદ તથા સંઘર્ષ ઉભો કરનારી સત્તાધારી શક્તિથી સાવધાન રહો.
તમને જણાવી દઇએ કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલી-બજરંગબલી વિવાદિત નિવેદન પર પોતાનો જવાબ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. મુખ્યમંત્રી યોગીએ ઈલેક્શન કમિશનમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા જવાબમાં સીએમ યોગીએ કહ્યું કે, ભવિષ્યમાં હવે આ પ્રકારના નિવેદનો આપવાથી દૂર રહીશ. આવા કોઈ પણ વિવાદિત નિવેદન આપીશ નહીં તેમ સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું છે.
Greetings & good wishes to the people for peaceful & prosperous life on Ram Navami. When people are happily remembering the ideals of Shri Ram, it is unfortunate that an attempt is being made to create confrontation & hatred between Bajrang Bali & Ali for narrow political gain.
જો કે હવે ચૂંટણીપંચ નક્કી કરશે કે યોગીના આ જવાબથી તેઓ સંતુષ્ટ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, સીએમ યોગીએ 10 એપ્રિલના રોજ મેરઠમાં એક રેલીને સંબોધન દરમિયાન સપા-બસપા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ-સપા-બસપાને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે.
જો કે સીએમ યોગીના આ નિવેદન બાદ રાજકીય વાતાવરણ પણ ગરમાયુ હતું અને બાદમાં યૂપીમાં સપાના ઉમેદવાર આઝમખાને પણ બજરંગ અલીનું વિવાદિત નિવેદન આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ યોગીએ 'મોદી કી સેના'નું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી આયોગને જણાવ્યું કે અલી-બજરંગબલીવાળા નિવેદન પર તેમની મહેચ્છા ખોટી નહોતી. સીએમ યોગીએ કહ્યું કે આયોગની આપત્તિ તેમજ નોટિસને ધ્યાનમાં રાખી આયોગને વિશ્વાસ આપું છું કે ભવિષ્યમાં ધ્યાન રાખીશ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદન પર હંગામો જોવા મળ્યો હતો, કોંગ્રેસ-એસપી અને બીએસપીએ આ નિવેદનની ટીકા કરી હતી.
લોકસભા ચૂંટણી 2019માં અલી-બજરંગબલી વિવાદની શરૂઆત મેરઠમાં 10 એપ્રિલથી જરૂરથી થઇ, પરંતુ આ વિવાદનું બેકગ્રાઉન્ડ યૂપીના દેવબંદમાં 7 એપ્રિલે માયાવતી-અખિલેશ અને અજિતસિંહની રેલી સાથે જોડાયેલ છે.