ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને યોગી સરકાર વચ્ચે 'બસ પોલિટિક્સ' મામલો શાંત પડી રહેલો જોવા મળી રહ્યો ત્યારે જ રાજસ્થા સરકારે યુપી સરકારને બસોનું બિલ મોકલાવતા ફરી આ મામલો ગરમાયો છે. 36 લાખના આ બિલ પર હવે રાજયમાં રાજકીય માહોલ ગરમી થઇ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ભાજપના સમર્થનમાં આવ્યાં છે. માયાવતીએ ટવિટ કરી કોંગ્રેસ પર આ મુદ્દાને લઇને નિશાન તાક્યું છે.
યુપીમાં બસ પોલિટિક્સિ રાજકારણ ફરી ગરમાયું
માયાવતીએ બસ પોલિટિક્સમાં ભાજપને કર્યું સમર્થન
બસ પોલિટિક્સ મામલે કોંગ્રેસપર સાધ્યું નિશાન
બસપા અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન પર ધૃણાસ્પદ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ ટવિટ કરી કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા કોટાથી અંદાજે 12000 યુવક-યુવતીઓને ઘરે મોકલવાના ખર્ચ તરીકે યુપી સરકારને 36.36 લાખ રૂપિયા વધુ આપવાની માંગ કરી છે જે તેમની કંગાળ અને અમાનવીયતાને પ્રદર્શન કરે છે. બે પાડોશી રાજ્યો વચ્ચે આવી ગેરવર્તૂણક રાજનીતિ ઘણી દુઃખદ છે.
1. राजस्थान की कांग्रेसी सरकार द्वारा कोटा से करीब 12000 युवा-युवतियों को वापस उनके घर भेजने पर हुए खर्च के रूप में यूपी सरकार से 36.36 लाख रुपए और देने की जो माँग की है वह उसकी कंगाली व अमानवीयता को प्रदर्शित करता है। दो पड़ोसी राज्यों के बीच ऐसी घिनौनी राजनीति अति-दुखःद। 1/3
માયાવતીએ કહ્યું કે રાજસ્થાન સરકાર એક તરફ કોટાથી યુપી વિદ્યાર્થીઓને પોતાની બસમાં પરત કરવાને લઇને મનમાની રીતે ભાડુ વસુલ કરી રહી છે. જ્યારે બીજી તરફ હવે પ્રવાસી શ્રમિકોને યુપીમાં તેમના ઘરે મોકલવા માટે બસોની વાત કરી રહી છે.