બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર અશોક ગેહલોત સરકાર પર નિશાન તાક્યું છે. માયાવતીએ કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ પહેલા પક્ષ-પલટાનો કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી સતત બીજી વખત બીએસપી સાથે વિશ્વાસઘાત કર્યો અને પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા અને હવે ખુલ્લેઆમ ફોન ટેપ કરાવી એખ વધુ ગેરકાયદે કાયદો અને ગેર બંધારણીય કામ કર્યું છે.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે રાજસ્થાનમાં સતત ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને રાજકીય ઘમાસણ વચ્ચે ત્યાંના રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવી જોઇએ જેથી રાજ્યમાં લોકશાહીની વધારે ખરાબ દૂર્દશા ન થાય.
इस प्रकार राजस्थान में लगातार जारी राजनीतिक गतिरोध, आपसी उठा-पठक व सरकारी अस्थिरता के हालात का वहां के राज्यपाल को प्रभावी संज्ञान लेकर वहां राज्य में राष्ट्रपति शासन लगाने की सिफारिश करनी चाहिए, ताकि राज्य में लोकतंत्र की और ज्यादा दुर्दशा न हो: मायावती, बीएसपी प्रमुख #Rajasthanhttps://t.co/cTrpon4FTO
ઓડિયો ટેપ મામલા પર ભાજપે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન રાજસ્થાન સરકાર પર આ મુદ્દા પર જવાબ આપવો જોઇએ કે મુખ્યમંત્રી અને અન્ય નેતા ફોન ટેપિંગ કરાવી રહ્યાં છે કારણ તેઓ કહી રહ્યાં છે કે ઓડિયો ટેપ અસલી છે.
સંબિત પાત્રાએ કહ્યું કે અમે આ મામલે સીબીઆઇ તપાસની માગ કરીએ છીએ। શું રાજસ્થાનમાં કટોકટીની સ્થિતિ છે? શું બધા રાજકીય પક્ષોને આ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ?
ભાજપે ઓડિયો ટેપ મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને ગોવિંદ સિંહ સામે એફઆઇઆર દાખલ કરાવી છે કારણ કે તેઓએ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને આ મામલે અંદર જોડાયાં હતા. કોંગ્રેસ દ્વારા હાલમાં પણ બળવો કરનાર સચિન પાયલટને મનાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.