ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા બસપાના સુપ્રીમો માયાવતીએ વડાપ્રધાન બનવાની ઇચ્છા જાહેર કરી હતી. આ મામલે મળતી વિગતો મુજબ BJP વિરોધી નેતાએને માયાની ઇચ્છા બાબતે જણાવવામાં આવ્યું હતું. આમ કરીને ભાજપને રોકવા માટેનો ફ્રંટ બનાવવામાં આવે, જેમાં તમામ વિપક્ષી પાર્ટીએ સામેલ હોય.
આ માટે ચંદ્રાબાબુ નાયડુ અને NCP ના વડા શરદ પવાર સતત મહેનત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અંતિમ ચરણના મતદાન બાદ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની NDA સરકાર ફરીવાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, તે પહેલા ભાજપ વિરૂધ્ધ તમામ વિપક્ષી પાર્ટીએ એકજૂટ થવા માટેના પ્રયાસો શરૂ થવા લાગ્યા છે.
એક્ઝિટ પોલમાં NDA ને 300 થી વધુ બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ કોંગ્રેસને 120 બેઠકો મળવાનું અનુમાન પણ લગાવવામાં આવેલ છે. ત્યારે હવે આ મામલે જોવું જ રહ્યું કે, ખરેખર સત્તામાં કોણ આવે છે.