બસપા સુપ્રીમો માયાવતી આજરોજ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ માટે મેનપુરી બેઠક પર ચૂંટણી પ્રચાર કરશે. માયાવતી બરેલી ખાતે પણ એક જંગસભાને સંબોધન કરશે.
સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી-રાલોદ ગઠબંધનની સંયુકત રેલીની શ્રેણીમાં મેનપુરીના ક્રિશ્ચિયન કોલેજ મેદનમાં આ ચોથી રેલી હશે.
બસપા સુપ્રીમો માયાવતી આજરોજ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ માટે મેનપુરી બેઠક પર ચૂંટણી પ્રચાર કરશે. માયાવતી બરેલી ખાતે પણ એક જંગસભાને સંબોધન કરશે.
સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી-રાલોદ ગઠબંધનની સંયુકત રેલીની શ્રેણીમાં મેનપુરીના ક્રિશ્ચિયન કોલેજ મેદનમાં આ ચોથી રેલી હશે.
આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ ચૂંટણી લડી રહ્યાં છે. આ રેલીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે માયાવતી પણ સંબોધન કરશે. આ રેલીના મંચ પર જો મુલાયમસિંહ યાદવ જોવા મળશે તો 1995ના ગેસ્ટ હાઉસ કાંડ બાદ પ્રથમ વખત એવું બનશે કે જ્યારે મુલાયમસિંહ યાદવ અને માયાવતી એકસાથે એક મંચ પર જોવા મળશે.
જેને લઇને જનતામાં આ રેલીને લઇને અલગ મૂડ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે માયાવતીએ જાહેરાત કરી હતી કે તેઓ ગેસ્ટ હાઉસ કાંડને નજરઅંદાજ કરી જનહિત માટે ગઠબંધન કરી રહ્યાં છે. માયાવતીની બીજી રેલી બરેલીના દેવચરા માર્કેટ મેદાન ભામોરામાં યોજાશે. આ બેઠક પર પણ સપાના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.