માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે એ પહેલા ઊંચી જાતિના હતા બાદમાં પછાત જાતિના બન્યા.
લખનઉ: પીએમ મોદીએ પોતાની જાતિને લઈને આપેલા નિવેદન બાદ બસપાના અધ્યક્ષા માયાવતીએ પીએમ મોદીને વળતો જવાબ આપ્યો છે.
માયાવતીએ પીએમ મોદીની જાતિને લઈને નિવેદન આપતા કહ્યું કે, પહેલા પીએમ મોદી ઉચ્ચ જાતિમાં આવતા હતા પણ ગુજરાતમાં પોતાની સરકાર બન્યા બાદ તેઓએ રાજકીય ફાયદા માટે અને પછાત સમુદાયનો હક્ક મારવા માટે પોતાની ઉચ્ચ જાતિને પછાત જાતિમાં સામેલ કરી દીધુ.
નરેન્દ્ર મોદી મુલાયમસિંહ અને અખિલેશ યાદવની જેમ જન્મથી પછાત વર્ગના નથી. નરેન્દ્ર મોદી પહેલા ઉચ્ચ જાતિના હતા પણ બાદમાં તેઓ પછાત જાતિના બન્યા.
કન્નોજમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ પછાત જાતિના હોવાથી વિરોધીઓ તેમને નિમ્ન જાતિના કહી રહ્યા છે. પીએમ મોદીનો આ આરોપ તથ્યવિહિન અને પાયાવિહોણો છે. અમે ક્યારેય આ પ્રકારનું નિવેદન આપ્યુ નથી. પૂરા સન્માન સાથે અમે તેઓને ઉંચી જાતિના જ માન્યા છે.. તો આ પ્રકારનુ નિવેદન આપવાની વાત ક્યાંથી આવી.