બહુજન સમાજવાદી પાર્ટી (BSP) પ્રમુખ માયાવતી આજરોજ દિલ્લી ખાતે ચૂંટણીમાં મળેલા પરાજય પર સમીક્ષા કરશે. 2019 લોકસભા ચૂંટણીમાં બીએસપીને સંતોષજનક બેઠક ન મળવા પર તેમજ કેટલાક પ્રદેશોમાં કારમા પરાજયને લઇને માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તર પર બેઠક બોલાવી છે.
જો કે આ બેઠકમાં પાર્ટીના સ્તર પર મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એક મળતાં અહેવાલ મુજબ બીએસપી પ્રમુક માયાવતીએ આજરોજ પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદો, ઝોન ઇન્ચાર્જ અને જિલ્લા અધ્યક્ષોને બેઠકમાં સામેલ થવા આદેશ કર્યો છે.
પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ અગાઉ માયાવતીએ રવિવારના રોજ છ રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારીઓને હટાવી દીધા હતા. આ સાથે જ બીએસપી અધ્યક્ષે ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને પણ પદ પરથી દૂર કર્યા હતા. માયાવતીએ ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત અને ઓડિશામાં લોકસભા ચૂંટણી પ્રભારીને હટાવી દીધા છે. જ્યારે દિલ્લી અને મધ્ય પ્રદેશમાં બીએસપી પ્રદેશ અધ્યક્ષોને પદ પરથી દૂર કર્યા છે.
લોકસભા ચૂંટણીમાં બસપાને મળેલી હારને લઇને બસપા અધ્યક્ષા માયાવતીએ દિલ્લીમાં બેઠક બોલાવી છે. માયાવતીએ આજે દિલ્લી સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પોતાની આ બેઠક બોલાવી છે અને આ બેઠકમાં હાર પર સમીક્ષા કરાશે. પ્રાપ્ત વિગતો મુજબ, આ બેઠકમાં પાર્ટી સ્તરમાં ફેરબદલ પણ થઈ શકે છે. આ બેઠકમાં નવ નિર્મિત સાંસદો, જોન ઈન્ચાર્જ અને જિલ્લા અધ્યક્ષોને પણ હાજર રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.