નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની વિરુદ્ધ નિવેદન આપવા બસપા નેતા જય પ્રકાશને મોંઘુ પડ્યું. બસપા પ્રમુખ માયાવતીએ તત્કાલ પ્રભાવથી જય પ્રકાશને પાર્ટીના દરેક પદોથી હટાવી દેવામાં આવ્યા છે. જય પ્રકાશ બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટરના પદ પર હતા.
માયાવતીએ જય પ્રકાશ પર કાર્યવાહી કરાતં કહ્યું 'મને બસપા રાષ્ટ્રીય કોઓર્ડિનેટર જય પ્રકાશ સિંહના ભાષણ માટે જાણ થઇ જેમાં એમને બસપાની વિચારધારા વિરુદ્ધ વાત કહી છે. આટલું જ નહીં એમને બીજા દળોના નેતૃત્વ વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી પણ કરી. આ એમનું વ્યક્તિગત મંતવ્ય છે જેનાથી પાર્ટી સહેમત નથી. એવામાં એમને તત્કાળ પ્રભાવથી દરેક પદો પરથી હટાવવામાં આવે છે.'
I came to know about BSP national coordinator Jai Prakash Singh's speech in which he spoke against ideology of BSP & also made personal remarks against leadership of rival parties. It's his personal opinion. So he has been removed from his post with immediate effect: Mayawati pic.twitter.com/oZXIkdQvJT
જણાવી દઇએ કે સોમવારે લખનઉમાં બસપા કોઓર્ડિનેટરોની બેઠકમાં જય પ્રકાશે કહ્યું હતું કે રાહુલ ગાંધી જો પોતાના પિતા પર ગયા હોત તો કેટલીક આશા પણ હતી પરંતુ એ એમની મા પર ગયા છે. એમની મા સોનિયા ગાંધી વિદેશી છે એમા વિદેશી લોહી છે એટલા માટે હું દાવા સાથે કહી શકું છું કે એ ભારતીય રાજકારણમાં ક્યારેય પણ સફળ થઇ શકે નહીં.
કોંગ્રેસ બીએસપીની સાથે મધ્ય પ્રદેશ છતીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી કરારની દિશામાં આગળ વધી રહી છે. એવામાં ઉત્તર પ્રદેશમાં BSP નેતા જય પ્રકાશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અસફળ નેતા અને સોનિયા ગાંધીને વિદેશી મૂળ કહ્યા હતા.
રાહુલ ગાંધીના પ્રધાનમંત્રીના દાવેદારીને બીએસપી તરફથી પાર્ટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર જયપ્રકાશ સિંહને નકારી દેતા કહ્યું હતું 'ભારતના પ્રધાનમંત્રી 'પેટ'થી નહીં પરંતુ 'પેટી'થી નિકળશે.'