લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું છે. આ અંગેની જો કે પુષ્ટી થઇ નથી પરંતુ અખિલેશ યાદવ અને માયાવતીના નિવેદન બાદ એ વાત ચોક્કસ સાફ થઇ ગઇ છે કે ગઠબંધનમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. માયાવતીએ યોજેલી પત્રકાર પરિષદ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના મતો તેમની સાથે રહ્યાં નહી.
સમાજવાદી પાર્ટી યાદવ મતદારોની બેઠક પર પણ હારી ગયું. કન્નોજમાં ડિમ્પલ યાદવ અને ફિરોઝબાદમાં અક્ષય યાદવની હાર બાદ અમને ઘણુ બધુ વિચારવા પર મજબૂર કરે છે. માયાવતીએ કહ્યું કે બસપા અને સપાના પ્રાથમિક મત જોડાયા બાદ ઉમેદવારોની હાર થવી જોઇતી નહોતી.
બસપા પ્રમુખ માયાવતીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે બસપા વિધાનસભા પેટાચૂંટણી એકલા હાથે પણ લડી શકે છે. આ સાથે માયાવતીએ ગઠબંધનને યથાવત રાખવા અખિલેશ યાદવ સામે શરત પણ રાખી છે. માયાવતીએ કહ્યું કે અખિલેશ અને ડિમ્પલ સાથે સંબંધ પુરા ન થાય તે માટે મે હંમેશા પ્રયત્ન કર્યા છે. માયાવતીએ જણાવ્યું કે મહાગઠબંધનને યાદવ મત મળ્યા નહીં.
માયાવતીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે અમે મતભેદ ભૂલાવીને સપા સાથે ગઠબંધન કર્યું. સમાજવાદી પાર્ટીની હારનું અમને ખૂબ દૂઃખ છે. અખિલેશ યાદવ પક્ષમાં ફેરફાર કરશે તો સાતે રહીશું. બસપા આગામી વિધાનસભાની પેટા ચૂંટણી એકલા હાથે લડશે.