લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રધાનમંત્રી પદની દાવેદારી પર વિપક્ષ તરફથી જ સવાલો ઉભા થયા છે. બસપાના નેતા શુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે પીએમ પદ માટે રાહુલ ગાંધીથી પણ સારા ઉમેદવાર માયાવતી છે.
વિપક્ષી દળના નેતાઓ પણ તેઓને પીએમ પદ માટે જોવા ઈચ્છે છે. બસપાના પ્રવક્તા શુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે વિપક્ષના પ્રધાનમંત્રી ઉમેદવારના રૂપમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલનામાં માયાવતીને વધુ પસંદ કરે છે.
માયાવતી ચાર વાર ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની તુલનામાં પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રીના રૂપમાં માયાવાતીને ઘણો અનુભવ છે. જેથી તમામ લોકો માયાવતીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માગે છે.