ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતીએ કમર કસી હતી. તેમણે બ્રાહ્મણો માટે પ્રબુદ્ધ સભા યોજી હતી.
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી
ઉત્તરપ્રદેશમાં બસપા દ્વારા પ્રબુદ્ધ સંમેલન
સપા હોય કે ભાજપ તેમણે માત્ર શોષણ જ કર્યું છે
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કમર કસવાનું શરૂ કરી દીધું છે. તેમણે ચૂંટણીનો શંખનાદ શરૂ કરતાં પ્રચાર શરૂ કરી દીધો હતો. મંગળવારે લખનૌમાં આવી જ યોજાયેલી એક સભામાં માયાવતી હાજર રહ્યા હતા અને સંબોધન આપ્યું હતું.
જય શ્રી રામ અને બાદમાં જય પરશુરામના નારા લાગ્યા
આ સભા બ્રાહ્મણ સમાજની સભા હતી જેમાં મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા. ત્રિશુળ લહેરાવવામાં આવી રહ્યા હતા. અને ગણેશજીની પ્રતિમા પણ દેખાઈ હતી. ખરેખર આ સભા બ્રાહ્મણ મતદારોને રીઝવવા માટે યોજાઇ હતી. આ પ્રકારે ઉત્તરપ્રદેશમાં બસપા દ્વારા પ્રબુદ્ધ સંમેલન કરવામાં આવી રહ્યા છે. આજે લખનૌમાં આવી જ એક સભામાં તેનું સમાપન થયું હતું. સમાપન સમયે બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રેલીને સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં પહેલા જય શ્રી રામ અને બાદમાં જય પરશુરામના નારા લાગ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના જૂનાં અને જાણીતા નારા 'હાથી નહીં ગણેશ હૈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ હૈ' વગેરે પણ લગાવવામાં આવ્યા હતા.
2007ની જેમ તેમની સરકાર ફરી બનશે
માયાવતીએ કહ્યું હતું કે 2007ની જેમ તેમની સરકાર ફરી બનશે તેવી તેમણે આશા છે. એક હજાર સક્રીય કાર્યકર્તા આખા જિલ્લામાં તૈયાર કરવાના છે અને પહેલા ચરણ બાદ બીજા ચરણમાં મહિલા કાર્યકર્તાઓને પણ પ્રબુદ્ધ વર્ગ માટે તૈયાર કરવામાં આવશે અને તેમને પણ જોડવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે સર્વજન હિતાય અને સર્વજન સુખાય એ તેમની પાર્ટીની વિચારધારા છે. તેઓ કદી કોઈને છેતરવાનો પ્રયાસ નથી કરતાં અને બસપાની સરકારમાં જાતિ ધર્મ કે કોઈ પણ આધારે ભેદભાવ કરવામાં આવતો નથી. ખાસ કરીને ઉચ્ચ વર્ગના લોકો સાથે પણ નહીં.
હવે મૂર્તિઓ અને સ્મારકો નહીં બનાવીએ
તેમણે આ સાથે કહ્યું હતું કે હવે અમે રાજ્યમાં મૂર્તિઓ અને સ્મારકો બનાવવાના નથી. હવે અમે માત્ર વિકાસ પર જ ધ્યાન આપવાના છીએ. આ કામ અગાઉ થઈ ચૂક્યું છે માટે ફરી એ કરવાની આવશ્યકતા નથી.
Now, I will focus only on the development of Uttar Pradesh & not on building parks & 'smaraks' in the state: BSP chief Mayawati pic.twitter.com/d3Cns8xKfy
તેમણે કહ્યું હતું કે હું તમામ જાતિના લોકોને અપીલ કરું છું કે તેઓ પોતાના પરિવારના હિત માટે અને સારા ભવિષ્ય માટે બસપા સાથે જરૂરથી જોડાય અને તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતોનું રોજ બમણું કરવા માટે વાયદો કર્યો હતો પણ એવું કર્યું ન્હોતું. ભાજપે ખેડૂતોને જમીનથી વંચિત રાખ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ગરીબો, બ્રાહ્મણો અને દલિતોનું ખૂબ શોષણ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સપા હોય કે ભાજપ તેમણે માત્ર શોષણ જ કર્યું છે અને હવે 2007ની જેમ તેઓને ફરી પૂર્ણ બહુમત સરકાર બનવવાથી કોઈ રોકી શકે તેમ નથી.