બેરોજગારીના મુદ્દા પર નિવેદન આપી કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સંતોષ ગંગવાર ઘેરાયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સંતોષ ગંગવાર પર નિશાન સાધ્યું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સંતોષ ગંગવારના નિવેદનથી વિવાદ
BSP સુપ્રીમો માયાવતી અને આપના સંજય સિંહે ગંગવાર પર સાધ્યું નિશાન
સંતોષ ગંગવારે કહ્યું- ઉત્તર ભારતીયોમાં લાયકાતની કમી છે
માયાવતીએ કહ્યું કે દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી સહિતની ગંભીર સમસ્યાઓના સંબંધમાં કેન્દ્રીય મંત્રીઓના અલગ-અલગ હાસ્યાસ્પદ નિવેદનો બાદ હવે દેશના ખાસ કરીને ઉત્તર ભારતીયોની બેરોજગારી દૂર કરવાને બદલે એમ કહેવું કે રોજગારની કમી નથી પરંતુ યોગ્યતાની કમી છે, ખુબ જ શરમજનક છે. જેના માટે દેશની માફી માંગવી જોઇએ.
देश में छाई आर्थिक मंदी आदि की गंभीर समस्या के सम्बंध में केन्द्रीय मंत्रियों के अलग-अलग हास्यास्पद बयानों के बाद अब देश व खासकर उत्तर भारतीयों की बेरोजगारी दूर करने के बजाए यह कहना कि रोजगार की कमी नहीं बल्कि योग्यता की कमी है, अति-शर्मनाक है जिसके लिए देश से माफी मांगनी चाहिए।
સંજય સિંહે કહ્યું- ખુવાર અર્થવ્યવસ્થા માટે જવાબદાર કોણ?
જ્યારે સંજય સિંહે મોદીના મંત્રીના નિવેદનને ઉત્તર ભારતીયોનું અપમાન બતાવ્યું છે. એમણે કહ્યું કે આ સરકારમાં જ યોગ્યતાની કમી છે. મંત્રી બતાવે કે ખુવાર અર્થવ્યવસ્થા માટે કોણ જવાબદાર છે. સંજય સિંહનું કહેવું છે કે સંતોષ ગંગવાર ખુદ જ ઉત્તર ભારતથી આવે છે. આ પ્રકારના નિવેદનનો શું અર્થ છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક વખત ફરીથી અર્થવ્યવસ્થા અને રોજગાર મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારના નોકરી વાળા નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે પાંચ વર્ષમાં નવી નોકરીઓ આવી નથી.
કોંગ્રેસ મહાસચિવે ટ્વિટ કરીને કહ્યું કે 5 વર્ષમાં નોકરીઓ પેદા થઇ નથી અને જે નોકરીઓ હતી એ સરકાર દ્વારા લાવેલી આર્થિક મંદીના કારણે છીનવાઇ રહી છે. એમને કહ્યું કે નૌજવાન રસ્તો જોઇ રહ્યા છે કે સરકાર કંઇક સારું કરે. પ્રિયંકાએ કહ્યું કે આ લોકો ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચવા ઇચ્છે છે.
#WATCH MoS Labour & Employment, Santosh K Gangwar says, "Desh mein rozgaar ki kami nahi hai. Humare Uttar Bharat mein jo recruitment karne aate hain is baat ka sawaal karte hain ki jis padd (position) ke liye hum rakh rahe hain uski quality ka vyakti humein kum milta hai." (14/9) pic.twitter.com/qQtEQA89zg
વાત એમ છે કે, કેન્દ્રની મોદી સરકારના 100 દિવસ પર શનિવારે બરેલીમાં સંતોષ ગંગવાર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. આ દરમિયાન એમણે કહ્યું કે દેશમાં રોજગાર અને નોકરીઓની કોઇ કમી નથી.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે ઉત્તર ભારતમાં સારું શિક્ષણ પ્રાપ્ત થયેલા યુવાઓની ખામી છે. એમને કહ્યું કે દેશમાં રોજગારની કમી નથી પરંતુ યોગ્ય લોકોની કમી છે. મને જાણકારી છે કે દેશમાં રોજગારની કોઇ કમી નથી. રોજગાર ખૂબ છે.
એમને કહ્યું કે રોજગાર ઓફિસ ઉપરાંત અમારું મંત્રાલય પણ એનું મોનિટરિંગ કરી રહ્યું છે. રોજગારની કોઇ સમસ્યા નથી પરંતુ જે કંપનીઓ રોજગાર આપવા આવે છે, એમનું કહેવું છે કે આ યુવાઓમાં યોગ્યતા નથી. મંદીની વાત સમજમાં આવી રહી છે, પરંતુ રોજગારની કમી નથી.