ઉત્તરપ્રદેશમાં લોકસભાની ટિકિટ 15-15 કરોડમાં માયાવતી વેચી રહ્યા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. ખુદ ભાજપના જ કદ્દાવર નેતા મેનકા ગાંધીએ બસપા પર આ પ્રકારના આક્ષેપ લગાવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની ટિકિટ 15-15 કરોડમાં માયાવતી વહેંચી રહ્યા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. ખુદ ભાજપના જ કદ્દાવર નેતા મેનકા ગાંધીએ બસપા પર આ પ્રકારના આક્ષેપ લગાવ્યા છે.
શું છે કરોડોમાં વહેંચાતી ટિકિટ પર રાજકારણ?
ચૂંટણીઓમાં ટિકિટોની વહેંચણી બે પ્રકારે થાય છે. એક તો સારો નેતા હોય તો તેને ટિકિટ મળે છે. બીજું પૈસાના દમ પર ટિકિટ મળે છે. આવું અમે નહીં પરંતુ નિષ્ણાંતો માને છે. તેવામાં ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. ભાજપના કદાવર નેતા મેનકા ગાંધીએ બસપા પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને રાજકીય વાતાવરણમાં ગરમાવો ફેલાયો છે. મેનકા ગાંધીએ બસપાના અધ્યક્ષ માયાવતી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તમામ લોકો જાણે છે કે માયાવતી ટિકિટ વેચે છે. તે પણ નાનુસૂની રકમમાં નહીં પરંતુ 15-15 કરોડ રૂપિયામાં વહેંચાઇ રહી છે.
મેનકા ગાંધીના આક્ષેપો પર સપાના નેતાએ પ્રતિક્રિયા પણ આપી હતી. અહીં આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. એકબીજા પર માછલા ધોવામાં આવી રહ્યા છે. પરંતુ મેનકા ગાંધીના આ આક્ષેપમાં કેટલી સત્યતા છે. કોણ સાચું છે કોણ ખોટું તે તો ઉત્તરપ્રદેશની જનતા આવનાર ચૂંટણીમાં બતાવી દેશે.