છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તારૂઢ ભાજપ રાજ્યમાં પોતાની સત્તા બચાવી રાખવા માટે પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ વાપસી કરવા માટે સંઘર્ષ કરી રહી છે પરંતુ આ વચ્ચે નવા રાજનીતિક સમીકરણમાં માયાવતીએ પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની નવી પાર્ટીની સાથે ગઠબંધન કરી દીધું છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષી દળોને એકસાથે કરવાની યોજનાને ધ્વસ્ત કરતા માયાવતીએ તેમણે મોટો ઝટકો આપ્યો છે. ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી કે છત્તીસગઢમાં જોગી પાર્ટીની સાથે બસપા ચૂંટણી લડશે તો મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટી એકલી ચૂંટણી લડી શકે છે. છત્તીસગઢમાં ચૂંટણી જીતવા પર જોગી ગઠબંધન સરકારના મુખ્યમંત્રી હશે.
Bahujan Samaj Party(BSP) has decided to contest upcoming assembly polls in alliance with Janta Congress Chhattisgarh. BSP will fight on 35 seats&Janta Congress Chhattisgarh will contest on 55 seats.If we win Ajit Jogi will be the CM: BSP Chief Mayawati on #Chhattisgarh elections pic.twitter.com/pnW0APhAUL
આ પહેલા એવા ચર્ચા હતી કે બસપા રાજ્યમાં કોંગ્રેસની પાર્ટીની સાથે ગઠબંધન કરી શકે છે. પહેલા તેઓ રાજ્યની તમામ 90 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી ત્યારે રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલ બસપાની સાથે ગઠબંધન કરવાના પ્રયત્નોમાં લાગેલા હતા.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન:
માયાવતીએ કોંગ્રેસની સાથે મહાગઠબંધનને ધ્વસ્ત કરીને અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢની સાથે સમજૂતી કરી દીધી છે. આ સમજૂતી હેઠળ જોગીની પાર્ટી 55 અને બસપા 35 સીટો પર ચૂંટણી લડશે.
છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભાની ચૂંટણીમાં છે. રાજ્યમાં કુલ 11 લોકસભા અને 5 રાજ્યસભાની સીટ છે. છત્તીસગઢમાં 27 જિલ્લા છે. રાજ્ય વિધાનસભામાં 51 સીટ સામાન્ય 10 સીટ એએસસી અને 29 સીટ એસટીના માટે આરક્ષિત છે.
MPમાં 22 ઉમેદવારની યાદી જાહેર:
માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે ''કોંગ્રેસે અજીત જોગીના છત્તીસગઢમાં ઉપયોગ કર્યો અને પછી સાથ છોડી દીધો. ગઠબંધનની વિરુદ્ઘ નથી પરંતુ બીજી પાર્ટીઓએ પણ પોતાનું દિલ મોટું કરવું પડશે.''
મધ્ય પ્રદેશમાં ગઠબંધન વિશે માયાવતીએ કહ્યુ કે ''મધ્ય પ્રદેશમાં બસપા એકલી ચૂંટણી લડશે. અત્યારે કોઇ પાર્ટીની સાથે સીટ વહેંચણી માટે કોઇ સહમતિ નથી થઇ.'' જોકે પાર્ટીએ ગુરુવારના 22 સીટો પરના પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
માયાવતીએ કહ્યુ કે '3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જલ્દીથી જાહેર કરશે પરંતુ બસપા માત્ર તે જ પાર્ટીની સાથે ગઠબંધન કરશે જે સન્માનજનક સીટ આપશે.''