ઓબીસી વર્ગની ગણતરી મુદ્દે બસપા નેતા માયાવતીએ મહત્વનું નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે જો મોદી સરકાર દ્વારા સકારાત્મક પગલા લેવામાં આવશે તો તે સરકારને સમર્થન આપશે
ઓબીસી વર્ગની ગણતરીનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બસપા પ્રમુથખ માયાવતીએ આ મામલે મોદી સરકારને સમર્થન આપવાની વાત કરી છે. માયાવતીએ કહ્યું કે ઓબીસી સમાજની વસ્તી ગણતરીને લઈને મોદી સરકાર જો કોઈ સારા પગલા લેશે તો બસપા દ્વારા તેમને સમર્થન આપવામાં આવશે.
देश में ओ.बी.सी. समाज की अलग से जनगणना कराने की माँग बी.एस.पी. शुरू से ही लगातार करती रही है तथा अभी भी बी.एस.पी. की यही माँग है और इस मामले में केन्द्र की सरकार अगर कोई सकारात्मक कदम उठाती है तो फिर बी.एस.पी. इसका संसद के अन्दर व बाहर भी जरूर समर्थन करेगी।
માયાવતીએ ટ્વીટ કરીને લોકોને જાણ કરી કે દેશમાં ઓબીસી સમાજની અલગથી ગણતરી મામલે બસપાએ પહેલાથી કહ્યું કે તેઓ પહેલાથી આની માગ કરી રહ્યા હતા. અને હવે જો કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલા લેવાસે તો તેમને બસપા દ્વારા સમર્થન આપવામાં આવશે.
નીતીશ કુમારે પત્ર લખ્યો
માયાવતીએ તેમની પ્રતિક્રિયા એવા સમયે આપી છે જે સમયે બિહારમાં પક્ષ તેમજ વિપક્ષ દ્વારા ઓબીસી ગણતરી માટે માગ કરવામાં આવી રહી છે. થોડક દિવસો તેજસ્વી યાદવ અને નીતીશ કુમારે પણ કહ્યું હતું કે ઓબીસીની ગણતરી થવી જોઈએ. આ મામલે નીતીશ કુમારે તો વડાપ્રધાનને પત્ર લખીને તેમને મળવાનો સમય પણ માગ્યો છે.
ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષ 2022માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી દરેક પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે ઓબીસી વર્ગની ગણતરી ચૂંટણીમાં મહત્વની ભૂમીકા ભજવી શકે છે. જેથી મોટા ભાગની પાર્ટીઓ હાલ તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરીને બેઠી છે.