માયવતીએ ગુજરાતના મોડાસાના ખંભીસરમાં દલિત યુવકના વરઘોડાનો મુદ્દો પણ ચર્ચ્યો હતો. દલિત યુવકના લગ્નમાં વરઘોડો ના કાઢવા દીધો. વરઘોડો ના કાઢવાને લઈને દલિત પરિવારનું ઉત્પીડન કરાયુ. મોદી વોટ માટે ગરીબીનું નાટક કરી રહ્યા છે. મોદી જન્મજાત પછાત નથી, તેઓ કાગળ પર જ પછાત છે.
ઉનાકાંડની પણ ચર્ચા માયાવતીએ કરીને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહી રાજસ્થાનના અનવરમાં દલિત યુવતી સાથે થયેલા કુકર્મના મામલાની પણ વાત કરી હતી.
Mayawati, BSP: Mujhe toh yeh bhi maloom chala hai ke BJP mein khash kar vivahit mahilayen apne aadmiyon ko Shri Modi ke nasdik jate dekh kar, yeh soch kar bhi kafi zyada ghabrati rehti hai ke kahin yeh Modi apne auraat ki tarah humein bhi apne pati se alag na karwa de. https://t.co/zBBmQhQepo
— ANI UP (@ANINewsUP) May 13, 2019
પીએમ મોદીના નિવેદન પર પલટવાર કરતા માયાવતીએ તેના પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પર ગેંગરેપ કેસ પર રાજનીતિ કરવાનો પણ આરોપ લાગ્યો છે.
માયાવતીએ કહ્યું કે નરેન્દ્ર મોદી અલવર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ચૂપ હતા. તેઓ આના પર ઘૃણાસ્પદ રાજકારણ કરવાના પ્રયત્નમાં છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે જેનાથી તેમને રાજકીય લાભ મળી શકે. આ ખુબજ શરમજનક છે. જોકે માયાવતીએ પીએમ મોદીના અંગત જીવન પર પણ પ્રહારો પણ કર્યા હતા.