બહુજન સમાજવાદી પાર્ટી(BSP) અધ્યક્ષ માયાવતી (Mayawati)એ બીજેપીની આગેવાનીમાં મોદી સરકાર પર દક્ષિણ એશિયાઇ દેશોના સંગઠન SAARCને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ કહ્યું કે આ નીતિ ભારતના હિતમાં નથી અને પાડોસી સાથે ઝઘડો કરીને કોઇ ખુશ ન રહી શકે. એમણે આ સંબંધમાં ટ્વિટ પણ કર્યું.
માયાવતીએ શનિવારે ટ્વિટ કરી લખ્યું કે, ભારતમાં નેપાળના રાજદૂતની એ વાત યોગ્ય છે કે બિમસ્ટેક (BIMSTEC) સંગઠન દક્ષિણ એશિયાઇ દેશોના શાર્ક (SAARC)નું વિકલ્પ ન બની શકે. એમણે સરકારને સલાહ આપતા કહ્યું કે, પડોશી સાથે ઝઘડો કરીને કોઇ ખુશ રહી ન શકે. ખુદ પાકિસ્તાન તેનું ઉદાહરણ છે. જેના સંબંધ તેના પાડોશી દેશો સાથે સારા નથી અને ખાડે ગયું છે.
भारत में नेपाल के राजदूत की यह बात समझदारी वाली है कि ’बिमस्टेक’ संगठन दक्षिण ऐशियाई देशों के ’सार्क’ का विकल्प नहीं हो सकता। पड़ोसी से झगड़ा करके कोई भी खुश नहीं रह सकता। खुद पाकिस्तान इसकी मिसाल है जिसके रिश्ते उसके पड़ोसी देशों के साथ अच्छे नहीं है और वह गर्क में जा रहा है।
માયાવતીનો ઇશારો 30 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં SAARC દેશોને બદલે બિમસ્ટેકના સભ્ય દેશોને આમંત્રણ આપવા પર છે. આપને જણાવીએ કે ટેક્નિકલ અને આર્થિક સહયોગ માટે બિમસ્ટેકમાં ભારત ઉપરાંત દક્ષિણ એશિયાના છ દેશ સભ્ય છે. તેમા બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, થાઇલેન્ડ, અને શ્રીલંકા સામેલ છે. જ્યારે શાર્ક દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને માલદીવ સામેલ છે.