લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણના મતદાન વચ્ચે અલવર સામૂહિક બળાત્કાર પર રાજનીતિ તેજ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલવર બળાત્કાર કાંડ પર ચુપ રહેવાના સવાલ પર માયાવતીએ પલટવાર કર્યો છે. માયાવતીએ કહ્યું કે ઉચિત કાર્યવાહી ન થાય ત્યારે તે નિર્ણય કરશે. સાથે જ માયાવતીએ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ઉના કાંડ અને રોહિત વેમુલા મામલે નિશાને લીધા હતા.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણના મતદાન વચ્ચે અલવર સામૂહિક બળાત્કાર પર રાજનીતિ તેજ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલવર બળાત્કાર કાંડ પર ચુપ રહેવાના સવાલ પર માયાવતીએ પલટવાર કર્યો છે. માયાવતીએ કહ્યું કે ઉચિત કાર્યવાહી ન થાય ત્યારે તે નિર્ણય કરશે. સાથે જ માયાવતીએ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ઉના કાંડ અને રોહિત વેમુલા મામલે નિશાને લીધા હતા. આખો મામલો એવો છે કે યૂપીના કુશીનગરમાં પીએમ મોદીએ માયાવતી પર નિશાન સાધતા કહ્યું હતું કે તે અલવર કાંડ મુદ્દે રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પોતાનું સમર્થન પાછું કેમ નથી લેતા.
સોમવારે કુશીનગરમાં રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલવર કાંડમાં દલિત મહિલા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે માયાવતી પર સીધો હુમલો બોલ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બીએસપીના સહયોગથી ચાલી રહેલી રાજસ્થાનની કોંગ્રેસ સરકારથી માયાવતીએ તાત્કાલિક સમર્થન પાછું લઇ લેવું જોઇએ. તેના પર માયાવતીએ પલટવાર કર્યો હતો. કહ્યું કે વડાપ્રધાન મોદીએ દલિત મહિલા સાથે થયેલા સામૂહિક અત્યાચાર મામલે ઘૃણાની રાજનીતિ ન કરવી જોઇએ.
ઉના કાંડ અને રોહિત વેમુલા મમલે રાજીનામાની માંગ
માયાવતીએ કહ્યું કે જો અલવર મામલે ત્યાંની સરકાર કોઇ કડક કાર્યવાહી કરશે તો નિશ્ચિત રીતે તેમની પાર્ટી રાજનીતિક નિર્ણય લેશે. કોંગ્રેસ સાથે કેવી રીતે કાર્ય લેવાનું છે તે બીએસપી સારી રીતે જાણે છે. મોદીની ટિપ્પણી પર માયાવતી એ ગુજરાતના ઉના દલિત કાંડથી લઇને રોહિત વેમુલા કાંડ સહિત દલિતો પર થઇ રહેલા અત્યાચાર મુદ્દે પીએમ મોદીના રાજીનામાની માંગ કરી.
માયાવતીએ પીએમ મોદી પર અલવર કાંડ પર પલટવાર કરતા કહ્યું કે બીજેપી સરકારે રાજસ્થાનમાં થયેલ ઘટના સાથે-સાથે બીજેપી સરકારોમાં થઇ રહેલા દલિતો પરના અત્યાચાર વિશે વિચારવું જોઇએ. જે રાજ્યોમાં દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે, ત્યાં બીજેપી સરકાર કેમ અત્યાચારીઓ પર કડક કાર્યવાહી કરતી નથી.
અલવર સામુહકિ બળાત્કાર
રાજસ્થાનના અલવરમાં એક દલિત મહિલા સાથે તેના પતિની સામે ગેંગરેપ કરવાનો ચૌંકાવનારો મામલો સામે આવ્યો હતો. પીડિતા દ્વારા નોંધવામાં આવેલી એફઆરઆઇ અનુસાર ઘટના 26 એપ્રિલે બની હતી. જ્યારે આરોપીઓએ તેના અને તેના પતિનો રસ્તો રોકી સુમસામ જગ્યાએ લઇ જઇને પતિની સામે સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઉપરાતં આરોપીઓએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.