બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારનાં રોજ આંબેડકનગરથી ગઠબંધન ઉમેદવાર રિતેશ પાંડે માટે પવિત્ર શિવબાબા મેદાનમાં જનસભાને સંબોધિત કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા.
બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારનાં રોજ આંબેડકનગરથી ગઠબંધન ઉમેદવાર રિતેશ પાંડે માટે પવિત્ર શિવબાબા મેદાનમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, 'ભાજપ, સપા-બસપા ગઠબંધનથી સંકટમાં આવી ગઇ છે પરંતુ ભાજપનાં લોકો કોઇ પણ પ્રકારનાં વ્હેમમાં ના રહે. ગઠબંધન કેન્દ્રથી મોદી અને યૂપીથી યોગી આદિત્યનાથને હટાવવા સુધી શરૂ રહેશે.
માયાવતીએ કહ્યું કે, આજે પ્રધાનમંત્રી મોદીને સૌથી વધારે મુશ્કેલી તો એ વાતની છે કે બસપા આખરે કેમ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની મૂવમેન્ટને આગળ વધારવા માટે કામ કરી રહી છે? તેઓએ જણાવ્યું કે, ભાજપ સરકારમાં ન તો નબળા લોકો તરફ ધ્યાન આપવામાં આવ્યું અને ન તો અલ્પસંખ્યક લોકોનાં કલ્યાણ માટે કંઇ કરવામાં આવ્યું.
તેઓએ જણાવ્યું કે, બસપાનાં મતદાતા જાગ્રત છે. પ્રદેશમાં ગઠબંધન જ છે કે જે ભાજપને પાઠ ભણાવી શકે છે. તેઓએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસ અને ભાજપ એક જ થેલીનાં ચટ્ટા-બટ્ટા છે. માયાવતીએ કહ્યું કે, 23મેંનાં રોજ આવનારા ચૂંટણી પરિણામને લઇને પીએમ મોદી ગભરાયેલાં છે જેથી હતાશામાં વગર વિચારે લોકો સમજી બોલી રહ્યાં છે.