ગાંધીનગરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહ બહાર જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો હતો. સમર્થકો સાથે મેવાણીએ વિરોધ કર્યો હતો. મેવાણીને 3 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વિરોધ
વિધાનસભા પરિસરમાં સળગાવ્યું વિધેયક
મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કર્યા છે. સંવિધાન દિવસ મુદ્દે ચર્ચા દરમિયાન તેમણે વિરોધ કર્યો હતો. જિગ્નેશ મેવાણીને સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
વિધાનસભા પરિસરમાં સળગાવ્યું વિધેયક
જિગ્નેશ મેવાણીએ વિધાનસભા પરિસરમાં વિધેયક સળાગાવ્યું હતું. જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તૃતીકરણ વિધેયક સળગાવીને વિરોધ કર્યો હતો. મીડિયારૂમમાં વિધેયક સળગાવીને મેવાણીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યાં જ મેવાણીએ આવતીકાલે ગૃહમાં રજૂ થનારું આ વિધેયકને આદિવાસી વિરોધી ગણાવ્યું હતું.
કેમ જિગ્નેશ મેવાણીને કરાયા સસ્પેન્ડ
आज गुजरात विधानसभा के बहार मिडिया को संभोधित करते हुए स्टेचू ऑफ़ यूनिटी के पास सदिओं से बस रहे आदिवासी समाज की जमीन हड़पने के लिए गुजरात सरकार जो कानून ला रही है उसकी कॉपी जलाई।
થાનગઢ ગોળીબાર મુદ્દે તેમણે વિરોધ કર્યો હતો. સતત ચેતવણી છતાં પણ બુમો પાડી વેલમાં ઘસી આવ્યા હતાં. આ મામલે અધ્યક્ષે જણાવ્યુ હતું કે મેવાણીનું વર્તન અયોગ્ય છે. મીડિયામાં આવવા માટે આવું વર્તન કરે છે. આથી મેવાણીને માર્શલે બોલાવી બહાર કાઢ્યા હતાં.
મુખ્યમંત્રીએ 3 દિવસ મેવાણીને સસ્પેન્ડ કરવાની કરી હતી માંગ
આથી મુખ્યમંત્રી રૂપાણીએ 3 દિવસ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ CMની માગને ટેકો આપ્યો હતો. મેવાણી ગૃહની માફી માગે તેવી CMએ માગ કરી હતી. તો આ તરફ મેવાણીએ સસ્પેન્ડ બદલ કોઇ જ રંજ ન હોવાનું જણાવ્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે માફી તો ક્યારેય માંગીશ નહીં.