મૌની અમાવસ્યા 1 ફેબ્રુઆરીના દિવસે મંગળવારે છે. આ દિવસે પિતૃ પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. મૌની અમાસ પર મૌન રહીને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ખાસ ઉપાય કરવામાં આવે છે.
મૌની અમાસના દિવસે પિતૃ પૂજન કરવાનું વિશેષ મહત્વ
પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ વિશેષ ઉપાય
જાણો, તમારા પિતૃઓને કેવીરીતે કરશો પ્રસન્ન
પિતૃ દોષ હોવાથી શુભ કાર્યોમાં અડચણો આવે છે
જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે જે લોકો પર પિતૃ દોષ હોય છે, તેના શુભ કાર્યોમાં અડચણો ખૂબ આવે છે. પરિવારમાં સુખ, શાંતિનો અભાવ રહે છે. વંશ વૃદ્ધીમાં સમસ્યાઓ આવે છે. આ દિવસે વિશેષ ઉપાયો કરવાથી પિતૃદોષ શાંત કરી શકાય છે. આવો જાણીએ છીએ આ ઉપાયો વિશે.
આ રીતે કરો પિતૃ પૂજન
પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે પિતૃઓનું ધ્યાન કરતા સૂર્યદેવને જળ અર્પણ કરો.
પિતૃદોષ નિવારણ માટે લોટામાં જળ અર્પણ કરો અને તેમાં લાલ ફૂલ અને કાળા તલ નાખો.
ત્યારબાદ પોતાના પિતૃઓની શાંતિની પ્રાર્થના કરી સુર્ય દેવને આ જળ અર્પણ કરો.
પીપડાના વૃક્ષ પર સફેદ રંગની કોઈ મિઠાઈ ચઢાવો અને આ વૃક્ષની 108 વખત પરિક્રમા કરો.
મૌની અમાસના દિવસે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને તલના લાડૂ, તલનુ તેલ, આમળા, ધાબળા અને કપડા જેવી ચીજ વસ્તુનું દાન કરો.
વાસ્તુ મુજબ કરો આ ઉપાય
પિતૃદોષ નિવારણ માટે વાસ્તુ અનુસાર કેટલાંક ખાસ ઉપાય કરી શકાય છે. આ દિવસે ઘરની દક્ષિણ દિશા બાજુ સફેદ કપડા પર થોડા તલ રાખો. તેની પર પીત્તળ અથવા તાંબાનું એક પિત્ર યંત્ર સ્થાપિત કરો. તેની ડાબી બાજુ પિતૃઓ માટે તલના તેલનો દીવો પ્રગટાવો. પાણીથી ભરેલો એક સ્ટીલનો લોટો વચ્ચે રાખો. તેના પર સ્ટીલની ડીશ મુકી તલ અને રોટલી મુકો. હવે તેની પર તુલસીના પાન મુકો. એક સફેદ ફૂલ ચઢાવો અને ચંદનથી તિલક કરો. આ રોટલીના ચાર ભાગ કરી એક ટુકડો શ્વાનને ખવડાવો, બીજો ટુકડો ગાયને ખવડાવો, ત્રીજો ટુકડો કાગડાને ખવડાવો અને ચોથો ટુકડો પીપડાના વૃક્ષ નીચે રાખો. ધ્યાન રાખો કે આ બધા કામ તમારે મૌન રહીને કરવાના છે.