આજના સમયમાં 1 પત્ની અને 2 બાળકો સાથે ઘર ચલાવવાનું મુશ્કેલ છે ત્યાં નાઈઝીરિયામાં એક અનોખો પરિવાર સામે આવ્યો છે. આ પરિવારમાં મૌલવીની 130 પત્નીઓ અને 203 બાળકો છે. હજુ પણ અનેક પત્નીઓ પ્રેગનન્ટ છે. મોહમ્મદ હેલ્લો અબૂબકર તેના પરિવારને લઈને મૃત્યુ બાદ પણ ચર્ચામાં છે. આટલા બધા લગ્ન અને બાળકો હોવા છચાં પણ ક્યારેય મૌલવી હેરાન, પરેશાન કે લડતાં જોવા મળ્યા નથી. 3 માળના મકાનમાં આ સૌ લોકો શાંતિથી રહે છે.
નાઈઝીરિયામાં રહે છે આ અનોખો પરિવાર
મૌલવીની 130 પત્નીઓ અને 203 બાળકોનો પરિવાર
હાલમાં મૌલવીનું થઈ ચૂક્યું છે અવસાન
દુનિયામાં અત્યારે કોરોનાના કારણે અનેક દેશ કબ્રસ્તાનમાં ફેરવાઈ ચૂક્યા છે. અચાનક મહામારીએ લોકોનો જીવ લીધો છે. મળતી માહિતી અનુસાર જનસંખ્યા વિસ્ફોટ થશે અને આ સમયે નાઈઝીરિયામાં એક વ્યક્તિ ચર્ચામાં આવ્યો છે. આ મૌલવી છે અને તેની 130 પત્નીઓ છે અને 203 બાળકો છે.
કોઈ બીમારી વિના થયુ મૌલવીનું મોત
2017માં જાન્યુઆરીમાં અબૂબકરનું મોત નીપજ્યું હતું. સૌથી મોટી વાત તો એ છે કે તેને કોઈ બીમારી પણ ન હતી. અચાનક તેનું મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં તેણે પરિવારને બોલાવીને તેની સાથે વાત કરી. તમામ પરિવારના સભ્યોને મળી લીધા પછી તેનું મોત થયું.
અંતિમ યાત્રામાં સામેલ થયા અનેક લોકો
અબૂબકર નાઈઝીરિયામાં 3 માળના મકાનમાં પત્નીઓ સાથે રહેતો હતો. જ્યારે તેનું મોત થયું ત્યારે અંતિમ યાત્રામાં અનેક લોકો સામેલ થયા. આ સમયે અનેક પત્નીઓ રડતી જોવા મળી. તેના મોત બાદ પણ અનેક પત્નીઓએ બાળકોને જન્મ આપ્યો. ઉલ્લેખનીય છે કે અબૂબકરના મોત પહેલાંથી તે પ્રેગનન્ટ હતી.
130માંથી 10 પત્નીઓ સાથે થયો હતો તલાક
પોતાના જીવનમાં અબૂબકરે ઘણા વિરોધનો સામનો કર્યો. અનેક લોકોએ તેને 4 પત્ની સિવાય અન્ય તમામને તલાક આપવા કહ્યું પણ મૌલવીએ લગ્નને યોગ્ય ગણાવીને તેમની વાતને નકારી દીધી. એક ઈન્ટરવ્યૂમાં મૌલવીએ કહ્યું હતું કે તે લગ્ન કરવા ઈચ્છતા નથી, જાતે જ તેમના લગ્ન થઈ જાય છે. 130 પત્નીમાંથી 10ની સાથે તેમના તલાક પણ થયા છે.
અબૂબકર કહેતા હતા કે 10 પત્નીઓ સાથે જ પતિ હેરાન થઈ જાય છે પણ કદાચ અલ્લાહ તેને 130 પત્નીઓ સંભાળવા માટે કાબેલ સમજતા હતા એટલે જ તેને આટલો મોટો પરિવાર આપ્યો અને તે આરામથી રહે છે.