સમગ્ર દુનિયા કોવિડ-19 મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છું. પાકિસ્તાન પણ કોરોના વાયરસની મારથી બચ્યું નથી. આવા સમયગાળામાં એક મૌલવીએ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધી હતા. મૌલાનાનું આ નિવેદનનો વીડિયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.
પાકિસ્તાન પણ કોરોનાનો આતંક
મૌલવીનો વીડિયો થયો વાયરલ
જો કે, આ વીડિયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મૌલવી સાહેબ લોકોને એવું કહેતા જેવા મળી રહ્યા છે કે, જો કોરોના મહામારીથી બચવું હોય તો લોકોએ વધારેમાં વધારે ઉંઘ લેવી જોઇએ.
— Naila Inayat नायला इनायत (@nailainayat) June 13, 2020
ડોક્ટરનો હવાલો આપીને મૌલાનાએ આ સૂચન કર્યું
આ વીડિયોમાં મૌલવી સાહેબ કહેતા જોવા મળે છે કે અમારા ડોકટરો હંમેશા અમને વધુ સૂવાનું સૂચન કરે છે. આપણે જેટલું ઊંઘીશું, વાયરસ ઉંઘશે. તે આપણને નુકસાન કરશે નહીં જ્યારે આપણે સૂઈએ ત્યારે તે સૂઈ જાય છે; જ્યારે આપણે મરીએ છીએ ત્યારે તે મરી જાય છે.