દિલ્હીના જાફરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનો દરમિયાન રવિવારે શરૂ થયેલો હંગામાએ સોમવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. નાગરિકતા કાયદા વિરોધીઓ અને સમર્થકોની વચ્ચે હિંસક અથડામણ થઇ. મૌજપુરમાં ઘણી ગાડીઓને આગચંપી કરવામાં આવી. આ ઘટના બાદ એક હેડ કોન્સ્ટેબલ અને 3 નાગરિકોના મોત થઇ ગયા. ત્યાર બાદ દિલ્હીમાં ગૃહમંત્રાલયે તાત્કાલિક બેઠક બોલાવી ઍક્શન લેવાના આદેશ આપ્યાં છે.
CAAને લઇને હિંસક અથડામણથી તણાવની સ્થિતિ
દિલ્હીની હિંસામાં ઘાયલ 3 નાગરિકોના મોત થયા
હિંસામાં ઘાયલ એક હેડ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે
ગૃહમંત્રાલય ઍક્શન મોડમાં
બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી સચિવ એ.કે ભલ્લા સહિત દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને કડક સૂચના આપી છે કે કોઈ પણ રીતે જલ્દીથી જલ્દી પરિસ્થિતિ પર કાબૂ લેવામાં આવે.
ત્રીજા નાગરિકની ઓળખ શાહિદના રૂપે થઇ છે. નોર્થ-ઇસ્ટ દિલ્હીના તણાવ વાળા ક્ષેત્રમાં ભારે પોલીસ જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. ગોકુલપુરી સ્થિત ટાયર માર્કેટમાં પ્રદર્શનકારીઓએ આગચંપી કરી છે. ફાયર ફાઇટર્સની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે તથા રાહત-બચાવનું કામ જારી છે.
દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે ત્રણ દાયકાથી દિલ્હીમાં છું પરંતુ પોતાના શહેરમાં આટલો ડર ક્યારેય નથી લાગ્યો.
तीन दशक से दिल्ली में हूँ. अपने ही शहर में इतना डर कभी नही लगा. क्या हो गया है ये? कौन लोग हैं जो दिल्ली में आग लगा रहे हैं? बेहद दुखी और शर्मिंदा हूँ आज. ये हमारी प्यारी दिल्ली है. देश की राजधानी है. इसे बचाना ही होगा.
દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી કહ્યું કે હિંસા પ્રભાવિત ઉત્તર-પૂર્વ દિલ્હીમાં આવતી કાલે સ્કૂલોમાં પરીક્ષાઓ નહીં યોજાય અને તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ બંધ રહેશે. સિસોદિયાએ બોર્ડ પરીક્ષાઓના સંબંધમાં HRD મિનિસ્ટર સાથે વાતચીત કરી કહ્યું કે કાલે બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવે.
दिल्ली में हिंसा प्रभावित नोर्थईस्ट ज़िले में कल स्कूलों की गृह परीक्षाएँ नहीं होंगी और सभी सरकारी एवं प्राइवेट स्कूल बंद रहेंगे. बोर्ड परीक्षाओं के सम्बंध में मैंने HRD Minister @DrRPNishank जी से बात की है कि इस ज़िले में कल की बोर्ड परीक्षा भी स्थगित कर दी जाए.
નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં CAAને લઇને ભડકેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મૃત્યું થઇ ગયું. તેઓ મૂળ સ્વરૂપે રાજસ્થાનના સીકરના રહેવાસી હતા. રતનલાલ 1998માં કોન્સ્ટેબલ તરિકે દિલ્હી પોલીસમાં સામેલ થયા હતા. તેઓ ગોકુલપુરી એસીપી કાર્યાલયમાં તહેનાત હતા. તેમના પરિવારમાં પત્ની અને 3 બાળકો છે.
હાલ જાફરાબાદ, મૌજપુર, ચાંદ બાગ, ભજનપુરા, કરાવલ નગરમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઇને ભડકેલી હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત થઇ ગયું. આ પ્રદર્શનકારી ગોળી વાગવાથી ઘાયલ થયો હતો.
નાગરિકતા કાયદાને લઇને રાજધાનીમાં ભડકેલી હિંસામાં લગભગ 10 પ્રદર્શનકારી ઘાયલ થયા હતા. તેમની સારવાર જીટીબી હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં ભરતી 6 પોલીસ જવાનોમાંથી 2ને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 2ની હાલત ગંભીર અને 2ની સારવાર ચાલી રહી છે. હિંસાને પગલે જાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્કલેવ અને શિવ વિહાર મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે.
Delhi Police Head Constable Rattan Lal lost his life today during clashes between two groups in Delhi's Gokulpuri. He was a native of Sikar, Rajasthan. He joined Delhi Police as Constable in'98. He was posted in the office of ACP/Gokalpuri.He is survived by his wife & 3 children. pic.twitter.com/6ldKt3nsbb
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી અનિલ બૈજલથી વાતચીત કરી છે. તેઓેએ વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ પ્રકારની હિંસાને ચલાવી લેવામાં આવશે નહીં. તેઓએ કહ્યું કે મારી તમામ લોકોને વિનંતી છે કે શાંતિ બનાવી રાખે. હિંસાથી કોઇ સમાધાન નહીં નીકળે.
मैंने अभी LG साहिब से बात की। उन्होंने भरोसा दिलाया कि और पुलिस फ़ोर्स भेजी जा रही है। किसी के भी द्वारा हिंसा बर्दाश्त नहीं की जाएगी। मेरी सभी लोगों से विनती है कि कृपया शांति बनाए रखें। हिंसा से कोई समाधान नहीं निकलेगा। https://t.co/d3biQqr13X
ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે આ ઘટના ખોટી છે. જાણી જોઇને તેને ઉશ્કેરવામાં આવી છે. લોકતંત્રની સીમામાં રહીને પોતાની ભાવનાઓને જાહેર કરવી જોઇએ. સરકાર આ નહીં ચલાવી લે તથા કડક કાર્યવાહી કરશે અમે વધુ ફોર્સ લગાવી છે. ગૃહ મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ મૌજપુર હિંસા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાં મધ્યસ્થતાની શરૂઆત કરી. ત્યારે પોલીસ ભડકાઉ નારા લગાવનારા બીજેપી નેતા કપિલ મિશ્રાને આવી જગ્યા પર જવાની મંજૂરી કેવી રીતે આપી શકે છે? આજે દિલ્હીમાં થયેલી હિંસા હેરાન કરનારી છે. તેની નિંદા કરવામાં આવે છે. શાંતિપૂર્ણ વિરોધ સ્વસ્થ લોકતંત્રનું પ્રતીક છે. હિંસાને ક્યારેય પણ યોગ્ય ન ઠેરાવી શકાય. દિલ્હી વાસીઓને મારી અપીલ છે કે તેઓ સંયમ અને સમજદારી દર્શાવે.