દિલ્હીના મૌજપુરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થક સામ સામે આવી ગયા છે. સોમવારે મૌજપુરમાં બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો અને ઘણી ગાડીઓમાં આગ લગાડી દેવામાં આવી. આ દરમિયાન ઘાયલ એક હેડ કોન્સ્ટેબલનું મોત થઇ ગયું છે. હાલ જાફરાબાદ, મૌજપુર, ચાંદ બાગ, ભજનપુરા, કરાવલ નગરમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઇને ભડકેલી હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત થઇ ગયું છે. આ પ્રદર્શનકારી ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. નાગરિકતા કાયદાને લઇને રાજધાનીમાં ભડકેલી હિંસામાં લગભગ 10 પ્રદર્શનકારી ઘાયલ થયા છે. તેમની સારવાર જીટીબી હોસ્પિટલમાં ચાલી રહી છે.
જ્યારે ખાનગી હોસ્પિટલમાં ભરતી 6 પોલીસ જવાનોમાંથી 2ને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 2ની હાલત ગંભીર અને 2ની સારવાર ચાલી રહી છે. હિંસાને પગલે જાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્કલેવ અને શિવ વિહાર મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી અનિલ બૈજલથી વાતચીત કરી છે. તેઓેએ વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ પ્રકારની હિંસાને ચલાવી લેવામાં આવશે નહીં. તેઓએ કહ્યું કે મારી તમામ લોકોને વિનંતી છે કે શાંતિ બનાવી રાખે. હિંસાથી કોઇ સમાધાન નહીં નીકળે.
ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે આ ઘટના ખોટી છે. જાણી જોઇને તેને ઉશ્કેરવામાં આવી છે. લોકતંત્રની સીમામાં રહીને પોતાની ભાવનાઓને જાહેર કરવી જોઇએ. સરકાર આ નહીં ચલાવી લે તથા કડક કાર્યવાહી કરશે અમે વધુ ફોર્સ લગાવી છે. ગૃહ મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ મૌજપુર હિંસા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાં મધ્યસ્થતાની શરૂઆત કરી. ત્યારે પોલીસ ભડકાઉ નારા લગાવનારા બીજેપી નેતા કપિલ મિશ્રાને આવી જગ્યા પર જવાની મંજૂરી કેવી રીતે આપી શકે છે? આજે દિલ્હીમાં થયેલી હિંસા હેરાન કરનારી છે. તેની નિંદા કરવામાં આવે છે. શાંતિપૂર્ણ વિરોધ સ્વસ્થ લોકતંત્રનું પ્રતીક છે. હિંસાને ક્યારેય પણ યોગ્ય ન ઠેરાવી શકાય. દિલ્હી વાસીઓને મારી અપીલ છે કે તેઓ સંયમ અને સમજદારી દર્શાવે.
मैंने अभी LG साहिब से बात की। उन्होंने भरोसा दिलाया कि और पुलिस फ़ोर्स भेजी जा रही है। किसी के भी द्वारा हिंसा बर्दाश्त नहीं की जाएगी। मेरी सभी लोगों से विनती है कि कृपया शांति बनाए रखें। हिंसा से कोई समाधान नहीं निकलेगा। https://t.co/d3biQqr13X
નોંધનીય છે કે, મૌજપુર હિંસા દરમિયાન લગભગ 37 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. શાહદરા ડીસીપી અમિત શર્માના માથામાં ગંભીર ઇજા થઇ છે. મૌજપુર મેન માર્કેટમાં પ્રદર્શનકારીઓએ દુકાનોમાં તોડફોડ કરી. લગભગ 80 ટકા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. ઘોંડામાં એક મિની બસમાં આગ લગાવવામાં આવ્યાના સમાચાર છે. હિંસક ટોળાએ ભજનપુરામાં પેટ્રોલ પંપને સળગાવી દીધો છે.