ત્રીજી લહેરના મોતના આંકડાની વાત કરીએ તો બીજી લહેરની સરખામણીએ લગભગ 600 ટકા મોત ઓછા નોંધાયા છે.
ત્રીજી લહેરમાં બીજી લહેરની સરખામણીએ લગભગ 600 ટકા મોત ઓછા
12 સપ્ટેમ્બર 2020ના મોત ગત 24 કલાકમાં થયેલા મોતથી 900 ટકા વધારે
આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં હળવો વધારો જોવા મળી શકે
ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેરને સ્પીડ મળી છે. પરંતુ જો મોતના આંકડાની વાત કરીએ તો બીજી લહેરની સરખામણીએ લગભગ 600 ટકા મોત ઓછા નોંધાયા છે. પહેલી લહેરની સરખામણીએ આ ઘટાડો લગભગ 900 ટકા છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે આવનારા દિવસોમાં મોતના આંકડામાં સામાન્ય વધારો થઈ શકે છે.
ગત 24 કલાકમાં 327 મોત નોંધાયા
દેશમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાના 159632 નવા કેસ તથા 327 મોત નોંધાયા છે. જેમાં 242 મોત કેરળના એવા છે કે જે પૂર્વના છે. જ્યારે કેરળમાં ગત 24 કલાકમાં કુલ 33 મોત થયા છે. આ પ્રકારના તાજા મોત માત્ર 118 છે જ્યારે ગત વર્ષ કોરોનાની બીજી લહેર દરમિયાન 11 એપ્રિલ 2021ના રોજ દેશમાં કોરોનાના 152879 નવા મામલા નોંધવામાં આવ્યા હતા. આ દરમિયાન 839 મોત નોંધવામાં આવ્યા હતા. આ ગત 24 કલાકમાં થયેલા મોતોથી 721 એટલે કે લગભગ 600 ટકા વધારે છે.
12 સપ્ટેમ્બર 2020ના મોત ગત 24 કલાકમાં થયેલા મોતથી 900 ટકા વધારે
પહેલી લહેરમાં જો કે એક દિવસમાં મહત્તમ સંક્રમણ એક લાખથી નીચે રહ્યું હતુ. પરંતુ મોતના આંકડો ઉંચો રહ્યો હતો. 12 સપ્ટેમ્બર 2020ના કુલ 97570 નવા કેસ નોંધવામાં આવ્યા હતા. હવે 1201 મોત થયા હતા. જે ગત 24 કલાકમાં થયેલા મોતના લગભગ 900 ટકા વધારે છે.
આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં હળવો વધારો જોવા મળી શકે
મેડિકલ વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓમિક્રોન ઓછો ઘાતક છે. આ ફેફસાને નુકસાન નથી પહોચાડી રહ્યો. એટલા માટે હોસ્પિટલમાં દાખલ થવાનો રેસિયો ઓછો છે. જેના કારણે મોત પણ ઓછા છે. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કમ્યુનિકેશન વિભાગના પ્રોફેસર જુગલ કિશોરે કહ્યું કે ઓમિક્રોન સંક્રમિત 5-7 દિવસની અંદર સાજા થઈ રહ્યા છે તથા ત્રીજી લહેરને 10 દિવસથી વધારે સમય લાગી ચૂક્યો છે. ગત લહેરોની સરખામણીમાં દર્દીઓના મોત 9-10 દિવસ બાદ થઈ રહ્યા છે. એટલા માટે આ શંકા છે કે આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં હળવો વધારો જોવા મળી શકે. પરંતુ બીજી લહેરની સરખામણીમાં બહું ઓછો રહેશે.