સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે ઘટનાની તપાસ કરતી ટીમ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. તપાસ દરમિયાન સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધમાં નારા લગાવ્યા. અને મેયર સામે પગલા લેવાની માગ કરવામાં આવી. સ્થાનિકો તંત્ર સામે ધરણા પર બેસવાનો પ્રયાસ કર્યો. ત્યારે ધરણા પર ન બેસવા દેતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઇ. ત્યારે બબાલ બાદ કોંગ્રેસે નેતા હાર્દિક પટેલે કહ્યું કે, જવાબદાર અધિકારીઓએ રાજીનામા આપી દેવા જોઇએ. સરકારે હજુ સુધી કોઇ પગલા નથી લીધા. ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે, 12 કલાકમાં મેયર જવાબદારી સ્વીકારી રાજીનામું આપે ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું.