વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ યુપીનાં CMOનાં ચરણોમાં પડીને બાળકનો જીવ બચાવી લેવા માટે કાકલૂદી કરી રહ્યા છે.
તાવમાં વાયરલ ફીવરનો ભયંકર કહેર
મથુરા અને આસપાસનાં ગામેગામ ઝપેટમાં આવ્યા
બાળકોને લઈને પલાયન કરી રહ્યા છે લોકો
યુપીમાં રહસ્યમયી તાવનો ભયંકર કહેર
યુપીના કેટલાક જિલ્લામાં રહસ્યમયી તાવના કેસ દિવસેને દિવસે વધતાં જઈ રહ્યા છે. આ બીમારીનાં કારણે મથુરામાં કેટલાય ગામો ઝપેટમાં આવ્યા છે. મથુરામાં અત્યાર સુધીમાં 13 લોકો નાં મોત થઈ થઈ ગયા છે જ્યારે મૃતકોમાં દસ બાળકો સામેલ છે. બાળકોના મોત બાદ લોકોમાં એટલો બધો ભય છે કે લોકો પોતાના ઘર છોડી છોડીને ભાગી રહ્યા છે. ગામડાઓમાં લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે જેથી પોતાના ભૂલકાઓને બચાવી શકે. સરકાર પણ આ બીમારી સામે લોકોને સારવાર આપવા માટે પ્રયાસો કરી રહી છે, સ્વાસ્થ્ય વિભાગની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
उत्तर प्रदेश में दम तोड़ चुकी स्वास्थ्य सेवाओं के बीच बुखार का कहर जारी है और सरकार प्रचार अभियान में व्यस्त है।
मथुरा में बीमार बच्चे का पिता अधिकारी के पैरों में गिर कर उपचार की गुहार मांगने को मजबूर हैं।
અધિકારીનાં પગમાં પડી ગયા વૃદ્ધ
બીમારીનાં ફફડાટ વચ્ચે એક એવી તસવીર સામે આવી છે જેના કારણે સોશ્યલ મીડિયામાં ઘણા બધા લોકો ભાવુક થઈ ગયા. વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ યુપીનાં CMOનાં ચરણોમાં પડીને બાળકનો જીવ બચાવી લેવા માટે કાકલૂદી કરી રહ્યા છે. લોકો અધિકારીઓના હાથ જોડીજોડીને કહી રહ્યા છે કે સાહેબ અમારા બાળકોને બચાવી લૉ.
મહિલાઓનાં રડી રડીને બુરા હાલ, ભૂલકાંઓ પડ્યા બીમાર
મથુરાનું કોહ ગામ આ બીમારીની ઝપેટમાં આવી ગયું છે. ગામના સરપંચનું કહેવું છે કે ગામમા દોઢસોથી વધારે બાળકો બીમારી પડી ગયા છે અને લોકોમાં ભયંકર દહેશતનો માહોલ છે. સાડા ચારસોથી વધારે લોકો અત્યાર સુધીમાં આ બીમારીની ઝપેટમાં માત્ર એક જ ગામમાં સામે આવ્યા છે.
યુપીનાં વિવિધ જિલ્લાઓમાં દહેશત
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં પણ વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કારણે હાલત વધુને વધુ ખરાબ થઈ રહી છે. કેટલાય વિસ્તારોમાં લોકો પોતાના ઘરોની આસપાસ કોઈ પણ ઊંટવૈદોની સલાહો માનીને પોતાના જ ઘરે બાળકોની સારવાર કરવા માટે મજબૂર બન્યા હતા.
પોતાના જ ઘરે બાળકોની સારવાર કરવા માટે મજબૂર
ઉત્તરપ્રદેશના ઝલકારી નગર વિસ્તારમાં કેટલાય પરિવારો પોતાના ઘરોમાં જ બાળકોના ઇલાજ કરાવી રહ્યા છે કારણ કે અહીના ઘણા વિસ્તારોમાં હોસ્પિટલોમાં બાળકોને એડમિટ કરવા માટે બેડ પણ ખાલી નથી. એક બાળક વૈભવને ઘણા સમયથી તાવ આવતો હતો બાદમાં તેનો ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે તેને ડેન્ગ્યુ થઈ ગયો હતો. ત્યાર બાદ તેના પરિવારે ઘરે જ તેનો ઈલાજ કરાવવાનું શરૂ કર્યું હતું. તેના પરિવારજનોએ કહ્યું હતું કે હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી તેમણે તેનો ઈલાજ ઘરે જ કરવાનું શરૂ કરી દીધું હતું. એક સ્થાનિક ડોક્ટરની સલાહ મુજબ તેમણે ઘરે જ દવાઓ અને ગ્લુકોઝ ડ્રીપ વગેરે શરૂ કરી દીધું હતું. બાળકને છેલ્લા ઘણા સમયથી તાવ અને ઊલટીઓ થતી હોવા છતાં આ પ્રકારે 12 વર્ષના વૈભવની ઘરે જ કરવામાં આવી રહેલી સારવાર જોખમી છે.
આ સિવાય અન્ય એક પરિવારમાં પુષ્પા દેવી અને તેમની દીકરીનું ડેંગયુમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જવાનાં આકારને મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનોનું કહેવું છે કે આ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે થયું હતું તો સરકાર પણ ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ચેડાં
આ પ્રકારે લોકો ઘરે જ સારવાર કરે તે ખૂબ જ ખતરનાક બાબત છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ચેડાં છે. આઅ વિસ્તારોમાં સાફ સફાઇ પણ ન હોવાના કારણે તાવ વગેરે ઝડપથી પ્રસરી રહ્યા છે જો કે બાળકો પર સૌથી વધારે તેની અસર થઈ હોવાનું માલૂમ પડી રહ્યું છે. સ્થાનિકોએ કહ્યા મુજબ કમસે કમ 15 બાળકોના જીવ તો છેલ્લા કેટલા દિવસોમાં તેમની નજર સામે જ થયા હતા.
100 બેડની હોસ્પિટલમાં 325 લોકો એડમિટ
પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં લોકોના મોત થયા હતા. ફિરોજાબાદમાં દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે 100 બેડની હોસ્પિટલ પણ હવે ભરાઈ ગઈ છે અને સાથે આ જગ્યાએ 325 લોકો એડમિત કરવા પડ્યા છે. મોટાભાગનાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ ફૂલ છે. કેન્દ્ર સરકાર તરફથી એક ટીમ મોકલવામાં આવી છે. આઅ મેડિકલ ટીમ શુક્રવારે સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરવાની હતી જો કે તેનું શું પરિણામ આવે છે તે તો આવનારો સમય જ કહેશે.