ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં આવેલી શાહી ઈદગાહને તેના વાસ્તવિક સ્વામી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાને લઇને અખિલ ભારત હિન્દૂ મહાસભા સહિત કેટલાક સંગઠનોના અલગ અલગ કાર્યક્રમની જાહેરાત બાદ આ સુરક્ષા વધારવામાં આવી છે.
મથુરામાં આવેલી વિવાદિત કૃષ્ણ જન્મભૂમિને લઈને જિલ્લા પ્રશાસને સઘન સુરક્ષા વધારી દીધી છે. હિન્દુ મહાસભાએ 16 નવેમ્બરે મથુરા જન્મભૂમિમાં જળાભિષેક કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હિન્દુ મહાસભાના નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા હતા. તે પછી જળાભિષેકનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. મથુરામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી આખા જિલ્લામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. સાથે મથુરા જિલ્લાની સરહદો પર સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ ઉત્તરપ્રદેશ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. કહેવાય છે કે પ્રાચિન કાળમાં આ જગ્યાએ રાજા કંસની જેલ હતી જેમાં કૃષ્ણનો જન્મ થયો હતો. ત્યાર બાદ ત્યાં કૃષ્ણ મંદિર બનાવામાં આવ્યુ હતુ જેના પર અતિક્રમણ કરીને ઔરંગઝેબે ઈદગાહ બનાવી હતી..
2 હજારથી વધુ સુરક્ષા કર્મી તૈનાત
શાસન અને જિલ્લા તંત્રએ જણાવ્યું કે અયોધ્યાની બાબરી મસ્જિદ વિધ્વંસની વરસી(6 ડિસેમ્બર) પર જિલ્લાની શાંતિ વ્યવસ્થા કાયમ રાખવા માટે સમગ્ર રીતે સતર્ક છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન પરિસર સ્થિત તમામ મંદિરો અને શાહી ઈદગાહ(રેડ ઝોન)ની સુરક્ષામાં તૈનાત 2 હજાર સુરક્ષા કર્મીઓ સિવાય અર્ધ સેના દળોની તૈનાતી પણ કરવામાં આવી છે.
આગ્રા મંડળના અધિકારી અમિત ગુપ્તા અને આગ્રા પરિક્ષેત્રના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ નચિકેતા ઝા મથુરાની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. જેમણે જિલ્લાની સુરક્ષાથી જોડાયેલ તમામ અધિકારીઓ, જિલ્લા અધિકારી નવનીત સિંહ ચહલ અને વરિષ્ઠ પોલીસ અધિકારી ડૉ. ગૌરવ ગ્રોવર સહિત એસપી સિટી માર્તન્ડ પ્રકાશ સિંહ, એસપી સુરક્ષા આનંદ કુમાર સહિત તમામને આ દરમિયાન સંપૂર્ણ કઠોરતા વરતવાના આદેશ આપવામાં આવ્યા છે.
રેડ ઝોનમાં આવે છે શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસર
SSP ગ્રોવરે જણાવ્યું કે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરના રેડ ઝોન, આસપાસના વિસ્તારને યલો ઝોન અને ગ્રીન ઝોનમાં આવતા શહેરને બાકી ભાગમાં સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થાથી જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને દરેક જગ્યા અને દરેક સ્થિતિમાં સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.
7 સપ્ટેમ્બર સુધી રહેશે સુરક્ષા
તેમણે મીડિયા કર્મચારીઓને કહ્યું કે, શહેરનો માહોલ ખરાબ કરવાના પ્રયાસ કરનારાઓ સાથે કડકાઈ વર્તવામાં આવે. આ મામલે કોઈ ઢિલ નહીં દાખવવામાં આવે. શુક્રવારથી જ વિશેષ દળ પણ તૈનાત થઇ ગયું છે જે આગામી 7 સપ્ટેમ્બર સુધી તૈનાત રહેશે.
ગ્રોવરે કહ્યું કે, અમે સોશિયલ મીડિયા પર પણ સંપૂર્ણ રીતે દેખરેખ રાખી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ અથવા સંગઠને કોઈ પણ ભડકાઉ વસ્તુ નાખી તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહાસભાને કરી શાંતિની અપીલ
અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે 6 ડિસેમ્બરને લઇને શાંતિ બનાવી રાખે અને કોઈ પણ ઉશ્કેરણીમાં ન આવે. મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શ્રીમાથુર ચતુર્વેદ પરિષદના સંરક્ષક મહેશ પાઠકે ગુરૂવારે કહ્યું કે, અંદાજિત દોઢ-2 વર્ષના કોરોના કાળ બાદ હવે બજાર ખુલવા લાગ્યા છે. મથુરા-વૃંદાવન જેવા તીર્થસ્થળો પર જ્યારે તીર્થયાત્રી આવવા લાગ્યા છે જે ધાર્મિક પ્રવાસનથી જોડાયેલી વ્યવસ્થા હજુ સુધી તમામ રીતે ઠપ પડી હતી, જે હવે ખુલી રહ્યા છે.