કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કૃષ્ણનગરી મથુરાની ખેડૂત મહાપંચાયતમાં મોદી સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે સરકારની માત્ર એક જ ઉપલબ્ધિ છે કે ખરબપતિ મિત્રો આબાદ થઈ જાય.
મોદી સરકાર પર પ્રિયંકા ગાંધીના આક્રમક પ્રહાર
મથુરાની મહાપંચાયતમાં મોદી સરકાર પર વરસ્યા કોંગ્રેસ મહાસચિવ
પીએમ મોદીને ખેડૂત વિરોધી ગણાવ્યા
મથુરાની પાલીખેંડા મેદાનમાં યોજાયેલી મહાપંચાયતમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ સરકારનો વિવેક મરી ચૂક્યો છે અને ભગવાન શ્રીકૃષ્ણ જ આ સરકારનો અહંકાર મારી શકે છે.
मथुरा अहंकार तोड़ने वाली धरती है। आज भाजपा सरकार अहंकार में चूर होकर किसानों पर ऐसे कानून थोप रही है जिनमें किसानों का कोई हित नहीं है।
आज मथुरा की किसान महापंचायत में संदेश साफ है कि किसान इस सरकार का अहंकार तोड़ के रहेंगे। pic.twitter.com/vC5ZaIKIpY
પ્રિયંકા ગાંધીએ વધુમાં સરકાર પર આક્રમક પ્રહાર કરતા કહ્યું હતું કે ખેડૂતો અહીં તેમના હકની લડાઈ લડી રહ્યા છે અને આ લડાઈમાં કોંગ્રેસ હંમેશ તેમની સાથે રહેશે, કેન્દ્ર સરકાર આ લોકોને આતંકવાદી માને છે, તેમણે કોંગ્રેસના વચનનું પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવી, તો સૌથી પહેલા નવા કૃષિ કાયદાને રદ્દ કરવાનું કામ કરવામાં આવશે.
भीड़ इकट्ठा करने की बात नहीं है, ये जनता की आवाज़ है। सरकार का, नेताओं का, प्रधानमंत्री जी का कर्तव्य है कि वे जनता की आवाज़ सुने और उनकी समस्याओं को सुलझाने की कोशिश करें। किसानों के लिए अपशब्द कहना, उन्हें आतंकवादी कहना, देशद्रोही कहना बहुत बड़ा पाप है: प्रियंका गांधी वाड्रा pic.twitter.com/5kdj71Vwhb
પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આજે ખેડૂતોની આંખોમાં આંસુ છે અને સરકાર માત્ર વાતો થાકી તેમનું પેટ ભરવાની કોશિશ કરી રહી છે, ખેડૂતો પોતાના હક માટે આજે જ્યાં-ત્યાં ભટકી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તે વ્રજની ભૂમિથી ખેડૂતોને વિશ્વાસ અપાવવા માંગે છે કે આ લડાઈમાં કોંગ્રેસ હંમેશા તેમની સાથે ઉભી રહેશે. આ સિવાય પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમણે 16 હજાર કરોડના બે જહાજ ખરીદી લીધા હતા, પણ આ પ્રદેશના શેરડી ઉત્પાદક ખેડૂતોના લેણાં પેઠે બાકી નીકળતા 15 હજાર કરોડની ચૂકવણી હજુ સુધી નથી કરી.
#WATCH | A group of people raised slogans during Congress leader Priyanka Gandhi Vadra's address at a farmers' rally in Mathura, seeking her intervention in a rape case in Bharatpur, Rajasthan. She got down from the stage & listened to the grievances of the demonstrators. pic.twitter.com/FTfVlC8kUZ
આ સિવાય મોદી સરકાર પર વધુમાં પ્રહાર કરતા કહ્યું હતું કે આ સરકારનું જો ચાલશે તો ક્યાંક આ ગોવર્ધન પર્વતને પણ ન વેચી નાખે.નોંધનીય છે કે ગોવર્ધન પર્વત એ જ પૌરાણિક પર્વત માનવામાં આવે છે કે જેને ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ટચલી આંગળી વડે ઉંચકયો હતો.
For 90 days, farmers are sitting on borders of the capital. PM didn't come to talk to them nor did he send anyone. When ego of a politician becomes more important, then they lose touch with people: Congress Priyanka Gandhi at Mahapanchayat in Mathura pic.twitter.com/bmZy5DLF0s
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ખેડૂત વિરોધી છે અને કાયદા બનાવતા સમયે ખેડૂતોની સાથે કોઈ પણ વાતચીત કરવામાં આવી નહોતી, પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ લગાતાર વધી રહી છે, કેન્દ્ર સરકાર માત્ર નોટોની ખેતી કરવા માટે જ નવા કૃષિ કાયદાઓ બનાવ્યા છે, આ પછી પોતાના ભાષણને પૂર્ણ કરતા કહ્યું હતું કે જે પણ ખેડૂતો આ આંદોલનમાં શહીદ થયા છે તેમના માટે બે મિનિટનું મૌન પાળો, જય જવાન જય કિસાન.