સુરેન્દ્રનગરના ચોટીલામાં તબીબની બેદરકારીના કારણે પ્રસુતાનું મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, પરિજનો દ્વારા હોબાળો કરાયો.
ચોટિલામાં સારવાર દરમિયાન પ્રસુતાનું મૃત્યું
ખાનગી ક્લિનિકના તબીબ પર લાગ્યા બેદરકારીના આક્ષેપ
હોસ્પિટલ પર મોટી સંખ્યામાં લોકો થયા એકઠા
સુરેન્દ્રનગરના ચોટીલામાં તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોટિલામાં સારવાર દરમિયાન પ્રસુતાનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોબાળો કર્યો છે તેમજ ડૉક્ટરની બેદરકારીના કારણે પ્રસુતાનું મૃત્યુ થયોનો આક્ષેપ કર્યો છે.
ચોટિલામાં સારવાર દરમિયાન પ્રસુતાનું મૃત્યું
સુરેન્દ્રનગરના ચોટીલામાં તબીબની બેદરકારીના કારણે પ્રસુતાનું મૃત્યુ થયોનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોટિલાની ખાનગી ક્લિનિકના તબીબ પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે તેમજ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનો દ્વારા ડૉક્ટર સામે કાર્યવાહી કરવા તંત્રને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરવામાં આવી છે.
પરિવાર દ્વારા કરાયો ગંભીર આક્ષેપ
પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે ડૉક્ટર અને નર્સ દ્વારા કોઈ પણ સેફ્ટી વગર બળજબરીથી ડિલેવરી કરાવેલી છે, ડૉક્ટરે હાથમાં મોઝા જેવી કોઈ પણ સામાન્ય તેકેદારી પણ રાખી નથી. તેમણે આક્ષેપ કર્યો છે, ડોક્ટરે જાતે જ નિર્ણયો લઈ સારવાર કરી છે અને વિવિધ બાબતોની અમને જાણ બહાર રાખ્યા હતા.
ડૉક્ટરનું નિવેદન
ડોક્ટરે જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં 92 ટકા જેટલી નોર્મલ ડિલેવરી થઈ છે અને 8 ટકા જેટલી સિજેરિયન થયેલી છે જે અન્ય હોસ્પિટલની સરખામણીએ બરાબર છે અને હોસ્પિટલ શરૂ કર્યો પછી એટલે કે,2011 પછી એક પણ દર્દીનો મોત થયેલ નથી પરંતુ થોડા ટાઈમ પહેલા ઘટના બની છે એનો અમને પણ દુ:ખ છે. તેમણે જણાવ્યું કે, કાયદાને મહાન આપીએ છીએ, અને કાયદાકીય જે પણ હશે તેમાં અમારો પૂરો સહયોગ આપીશું. તેમણે કહ્યું કે, 12.30 આજુ બાજુ ડિલવેરી થઈ હતી અને સામાન્ય બલ્ડીંગ થયું હતું જે કંન્ટ્રોલમાં આવી ગયું હતું પરંતુ 3 વાગ્યા આજુબાજુ દર્દીને શ્વાસની તકલીફ થઈ હતી અને અન્ય ડોક્ટરની સલાહથી ICUમાં સિફ્ટ કરાયો હતો.